રેલવેએ 100 ગ્રામ દહીં 972માં, 1 લીટર રિફાઈન્ડ 1241માં ખરીદ્યું
વાસ્તવમાં મીઠાના એક પેકેટની કિંમત ૧૫ રૂપિયા જ હતી. એ જ રીતે પાણીની બોટલ અને કોલ્ડ્રિંક ૫૯ રૂપિયા પ્રતિ બોટલના ભાવે ખરીદ્યા હતા. સેન્ટ્રલ રેલવેએ ચિકન, તૂવેરની દાળ, મગની દાળ, બેસન અને ટિસ્યુ પેપર પણ બજારભાવથી અનેકગણા ભાવે ખરીદ્યા હતા. ૫૭૦ કિલો તુવેરદાળ ૧૫૭ રૂપિયે કિલોના ભાવે ખરીદી હતી. ૬૫૦ કિલો ચિકન ૨૩૩ રૂપિયે કિલોના ભાવે, ૧૪૮.૫ કિલો મગની દાળ ૧૫૭ રૂપિયે કિલોના ભાવે ખરીદ્યા હતા.
બોઝને મલેલી માહિતી મુજબ સેન્ટ્રલ રેલવેએ ૧૦૦ ગ્રામ દહીંના ૯૭૨ રૂપિયા ચૂકવ્યા હતા, જેની કિંમત વાસ્તવમાં ૨૫ રૂપિયા હતી. એ જ રીતે ૫૮ લિટર રિપાઈન્ડ તેલ માટે ૭૨,૦૩૪ રૂપિયા ચૂકવ્યા હતા. મતલબ કે લિટરના ૧૨૪૧ રૂપિયાના ભાવે તેલ ખરીદ્યું હતું. તાતા મીઠું ૧૫૦ પેકેટ ખરીદ્યું, જેના માટે ૨૬૭૦ રૂપિયા ચૂકવાયા. મતલબ કે એક પેકેટના ૪૯ રૂપિયા ચૂકવ્યા.
આ અંગે રેલવેના અધિકારીએ કહ્યું છે કે આ કદાચ ટાઈપિંગ એરર હોઈ શકે છે. અજય બોઝે કહ્યું હતું કે તેણે જુલાઈ ૨૦૧૬માં આરટીઆઈ અંતર્ગત માહિતી માગી હતી. પરંતુ જવાબ પરથી ખબર પડી ગઈ કે સેન્ટ્રલ રેલવે કંઈક છુપાવવા માગે છે. ત્યારબાદ તેણે એપેલેટ ઓથોરિટી સમક્ષ અપીલ કરી, જેણે રેલવેને ૧૫ દિવસમાં માહિતી આપવા આદેશ કર્યો હતો. તેમ છતાં અનેક મહિના સુધી માહિતી મળી ન હતી. આથી તેણે ફરી અપીલ કરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય રેલવેના સેન્ટ્રલ રેલવે કેટરિંગ ડિપાર્પમેન્ટની ખરીદીનો આંકડો જાણીને ચોંકી જશો તમે. વિભાગે 972 રૂપિયા પ્રતિ 100 ગ્રામ દહીં અને 1241 રૂપિયા પ્રતિ લિટરના દરે રિફાઈન્ડ ઓઈલની ખરીદી કરી છે. એક આરટીઆઈ કાર્યકર્તા અજય બોસે આરટીઆઈ દ્વારા આ જાણકારી મેળવી છે. જે અનુસાર સેન્ટ્રલ રેલવે કેટરિંગ ડિપાર્ટમેન્ટે આ વસ્તુ પર લખેલ એમઆરપી કરતાં અનેક ગણી વધારે રકમ ચૂકવી છે.