✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રેલવે ટિકિટોના બુકિંગ માટે ચૂકવવા પડશે વધારે રૂપિયા, પછી મળશે વળતર, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2017 11:05 AM (IST)
રેલવે ટિકિટોના બુકિંગ માટે ચૂકવવા પડશે વધારે રૂપિયા, પછી મળશે વળતર, જાણો કેવી રીતે
1

યાત્રા પુરી થયા બાદ ટિકિટ ઉપર કેટલી સબસીડીની રકમ મળશે તે તેના ખાતામાં જમા કરાવી દેવાશે. રાંધણગેસમાં પણ જેમ ડિલીવરીમેનને પુરેપુરા પૈસા આપવાના હોય છે અને સબસીડી ખાતામાં જમા થતી હોય છે તેવુ જ હવે રેલ્વેમાં પણ આવી સિસ્ટમ લાગુ કરી દેવાશે.

2

રેલ્વે ટિકિટોમાં ડીબીટી લાગુ કરવાની બાબત ઘણા લાંબા સમયથી પેન્ડીંગમાં છે. હાલ રેલ્વેની હાલત ખરાબ છે. ઓપરેટીંગ રેશીયો ૧૧૦ ટકા ઉપર પહોંચી ગયો છે એટલે કે રેલ્વેને ૧૦૦ રૂપિયા કમાવવા માટે રૂ.૧૧૦ જેટલી ખર્ચ કરવી પડે છે. આ યોજનાથી રેલ્વેને ફાયદો થશે પરંતુ સીનીયર સીટીઝન, વિકલાંગો, દર્દીઓ અને અન્ય શ્રેણીમાં છુટ લેનારાને મુશ્કેલી થશે.

3

મુસાફરને કઇ રીતે સબસીડી મળશે એ સવાલના જવાબમાં અધિકારીએ કહ્યુ હતુ કે, ટિકિટના બુકીંગ સમયે યાત્રીએ પુરેપુરૂ ભાડુ દેવાનુ રહેશે. તેણે કાઉન્ટ ઉપર આધાર નંબર પણ આપવો પડશે. જેનાથી રેલ્વે પાસે યાત્રીનો ખાતા નંબર, નામ, સરનામુ વગેરે બધુ પહોંચી જશે.

4

નાણા મંત્રાલયના સુત્રોના કહેવા મુજબ આ અંગે રેલ્વે મંત્રાલયને ગયા વર્ષે જ પત્ર મોકલ્યોહતો અને અત્યાર સુધીમાં અનેક બેઠકો થઇ ચુકી છે. આ સમગ્ર યોજનાના સુત્રધાર વડાપ્રધાન કાર્યાલય છે અને ત્યાંથી જ આના ઉપર નજર રાખવામાં આવી રહી છે. સુત્રોનુ કહેવુ છે કે જો બધુ ઠીકઠાક રહ્યુ તો આવતા નાણાકીય વર્ષમાં આ યોજના અમલી બની જશે.

5

એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે, રેલ્વે સમાજના વિવિધ વર્ગોને ભાડામાં છુટ થકી સબસીડી આપે છે. જે ભાડાના ૧૦ ટકાથી લઇને ૧૦૦ ટકા સુધીની હોય છે. સરકારની યોજના છે કે ભાડામાં છુટ લેનાર વ્યકિતએ પહેલા પુરેપુરા પૈસા આપીને ટિકિટ લઇ લેવી જોઇએ અને બાદમાં આધારકાર્ડના ડેટાબેઝનો ઉપયોગ કરતા લાભાર્થીના બેંક ખાતામાં સબસીડીની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવે. આ વ્યવસ્થા એલપીજીના કનેકશનમાં ડીબીટી થકી સબસીડી અપાય છે એ જ રીતે આમા પણ આ વ્યવસ્થા લાગુ કરવી.

6

નવી દિલ્હી: ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજનાને રેલવેમાં ટૂંકમાં લાગુ કરવામાં આવશે. રેલવેની નાણાંકીય સ્થિતિ હાલડ ડોલક છે અને તેનો ઓપરેટિંગ રેશીયો 110થી ઉપર ચાલ્યો ગયો છે ત્યારે સરકાર ઝડપથી ડીબીટીએલ સ્કીમ રેલવામાં લાગુ કરવાની ઉતાવળ કરી રહી છે. નીતિ આયોગના સભ્ય બીબેક દેબરાયના વડપણવાળી કમીટીએ ગયા વર્ષે જ આ ભલામણ કરી હતી.

  • હોમ
  • બિઝનેસ
  • રેલવે ટિકિટોના બુકિંગ માટે ચૂકવવા પડશે વધારે રૂપિયા, પછી મળશે વળતર, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.