જિઓ આપી રહ્યું છે દિવાળી ઓફર, 399 રૂપિયાના રિચાર્જ પર મળશે 100% કેશબેક
આ ઓફરનો લાભ તે ગ્રાહકો પણ ઉઠાવી શકશે, જેમની વેલિડિટી હજી ચાલુ છે. આ ઓફર્સને માય જિયો એપ, જિયો વેબસાઈટ, જિયો સ્ટોર્સ, રિલાયન્સ ડિજીટલ સ્ટોર અને કંપનીના ઓફિશિયલ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એક્ટિવેટ કરી શકાશે.
દિવાળીની આ ઓફર અંતર્ગત જિયો પ્રાઈમ કસ્ટમરને 399 રુપિયાનું રિચાર્જ કરવા પર 50 રુપિયાના 8 વાઉચર મળશે. તમે એક સમયે માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકશો, અને તે પણ 15 નવેમ્બર પછી. અર્થાત, ભવિષ્યમાં તમે 309 રુપિયાનું રિચાર્જ કરાવશો તો તમારે માત્ર 259 રુપિયા જ ચુકવવાના રહેશે, કારણકે 50 રુપિયાનું વાઉચર તમારી પાસે હશે.
આ કેશબેક વાઉચર તરીકે મળશે જેનો ઉપયોગ તમારા નંબર પર રિચાર્જ કરાવવા માટે કરી શકાશે. આ ઓફર 12 ઓક્ટોબરથી શરુ થથે અને 18 ઓક્ટોબર સુધી ચાલશે. 399 રુપિયાના આ પેકમાં પ્રી-પેઈડ ગ્રાહકોને 1GB પ્રતિદિવસના હિસાબે 84GB ડેટા, ફ્રી SMS, જિયો એપ્સ માટે સબ્સક્રિપ્શન અને ફ્રી કૉલ આપવામાં આવશે. પોસ્ટપેઈડ યુઝર્સને પણ આ જ લાભ મળશે, માત્ર તેમની વેલિડિટી 3 બિલિંગ સુધીની રહેશે.
નવી દિલ્હીઃ 4જી ટેલિકોમ સેવાઓમાં અગ્રણી કંપની બનીને ઉભેરલ રિલાયન્સ જિઓએ પોતાના ગ્રાહકોને દિવાળીની ભેટ આપી છે. કંપની તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર જિઓ નંબરનો ઉપયોગ કરનાર ગ્રાહકોને દિવાળીના અવસર પર 399 રૂપિયાના દરેક રિચાર્જ પર 100 ટકા કેશબેક આપવામાં આવશે. એટલે કે રીચાર્જના પૂરા પૈસા કંપની પરત કરશે.