✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આજ રાતથી બંધ થઈ જશે 50 અને 100 રૂપિયાની નોટ, આ વાયરલ મેસેજની હકીકત જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Aug 2017 10:32 AM (IST)
1

નવી દિલ્હીઃ હાલમાં 100 અને 50 રૂપિયાની નોટ બંધ થઈ જવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ નોટો લોકો 21 ઓક્ટોબર, 2017 સુધી બેંક એકાઉન્ટમાં જમા કરીને બદલી શકશે. 50 અને 200 રૂપિયાની નવી નોટો આવવાના કારણે આમ કરવામાં આવી રહ્યું છે. સરકારના કહેવા પર RBIએ આ જાહેરાત કરી છે. જોકે આ એક અફવાય છે જે પહેલા પણ વાયરલ થઈ હતી.

2

જો કોઈપણ નોટ બંધ કે નવી લાવવાની હોય તો એ પહેલા આરબીઆઈ તે માટેનું નોટિફિકેશન બહાર પાડે છે. હવે અત્યારે જે 50 અને 100ની નોટ બંધ થવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આરબીઆઈની વેબસાઈટ પર આ અંગે કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જે દર્શાવે છે કે આ એક ફેક મેસેજ છે.

3

જોકે આ પ્રાકરના મેસેજ પહેલા પણ વાયરલ થયા હતા ત્યારે સરકારે ટ્વિટરના માધ્યમથી તેને નકારી કાઢ્યા હતા અને કહ્યું તું કે સરકારની 50 અને 100 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.

4

વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે બુધવારે રાતે 12 વાગ્યાથી 50 અને 100ની તમામ નોટ બંધ કરી દેવામાં આવશે. જે નોટ બંધ થઈ રહી છે તેને તમારા જ એકાઉન્ટમાં 21 ઓક્ટોબર 2017 સુધી બદલી શકાશે. આ સાથે સંકળાયેલા બીજા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સરકારે RBIને 50-100 રૂપિયાની જૂની નોટો આજે મધરાતથી ન સ્વીકારવાનો આદેશ આપ્યો છે. 8 નવેમ્બરે થયેલી નોટબંધીની સફળતા બાદ સરકારે આ પગલું ભર્યું છે. લોકો 21 ઓક્ટોબર સુધી આ નોટો બદલાવી શકશે.

  • હોમ
  • બિઝનેસ
  • આજ રાતથી બંધ થઈ જશે 50 અને 100 રૂપિયાની નોટ, આ વાયરલ મેસેજની હકીકત જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.