✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પગારદાર કરદાતાઓએ હવે TDS કપાતની જાણકારી માટે રાહ નહીં જોવી પડે, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Oct 2016 10:11 AM (IST)
1

નવી દિલ્હીઃ દેશભરમાં અંદાજે અઢી કરોડ પગારદાર ટેક્સ પેયરને તેના ત્રિમાસિક ટીડીએસ કપાત વિશે આવકવેરા વિભાગ તરફથી એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ સોમવારે આ સેવાની શરૂઆત કરી છે. આ સુવિધાના લોન્ચિંગ પર માહિતી આપવામાં આવી છે કે જ્યારે TDS દ્વારા પૈસા કપાય બાદ આવકવેરા વિભાગ દ્વારા પાસ કર્યા બાદ કર્મચારીને SMS દ્વારા માહિતી પહોંચાડવામાં આવશે. હાલ આ સુવિધાનો લાભ અઠિ કરોડ પગારદારોને પ્રાપ્ત થશે તેમને SMS દ્વારા માહિતી પહોંચાડવામાં આવશે.

2

એવા પણ કેટલાક કિસ્સા સામે આવ્યાં છે. જેમાં પગારમાંથી આવકવેરો કાપી લેવામાં આવ્યો હોય, પંરતુ વિભાગ પાસે જમા ન થયો હોય. આ સુવિધાથી આ તમામ સમસ્યાનો અંત આવી જશે. ફ્રોડથી બચાવામાં આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ સિસ્ટમથી કર્મચારીને ખ્યાલ આવી જશે કે પગારમાંથી કટ થયેલો આવકવેરો વિભાગ પાસે જમા થયો છે કે નહીં.

3

મળતી માહિતી મુજબ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે કેટલીક કંપનીઓ આવકવેરાની રકમ કટ કરી લે છે. આ વાતની જાણ કર્મચારીને ત્યારે થાય છે જ્યારે તે ફોર્મ 16 લઇને વિતેલા વર્ષનું ટેક્સ રિટર્ન દાખલ કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેથી કરદાતા અને આવકવેરા વિભાગની વચ્ચે વિશ્વાસનીયતા વધારે મજબુત થાય.

  • હોમ
  • બિઝનેસ
  • પગારદાર કરદાતાઓએ હવે TDS કપાતની જાણકારી માટે રાહ નહીં જોવી પડે, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.