SBIએ ફિક્સ ડિપોજિટના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો ક્યારથી લાગુ થશે નવો દર
એસબીઆઈએ આ પહેલા હોમ લોન અને કાર લોનના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, 1લી નવેમ્બરથી એસબીઆઈની હોમલોનના દર 8.30 ટકા અને કારલોનના દર ઘટીને 8.70 ટકા થઈ ગયા છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેકં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હવે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે 1 નવેમ્બરથી દેશભરમાં 1 કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. સામાન્ય નાગરિકોને બેંક તરફથી વધુમાં વધુ 6.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને વધુમાં વધુ 6.75 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
તેવી જ રીતે 46 દિવસથી લઈને 2 વર્ષ સુધીની એફડી પર સામાન્ય નાગરિકોને હવે 6.5ની જગ્યાએ 6.25 ટકા વ્યાજ મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકોને 7 ટકાની જગ્યાએ 6.75 ટકા વ્યાજ મળશે. ઉલ્લેખનીય છે કે, એસબીઆઈ ફિક્સ ડિપોઝિટ પર જેટલું વ્યાજ આપે છે એટલું વ્યાજ તો કોટક મહિન્દ્રા બેંક માત્ર બચત ખાતા પર આપે છે.
બેંકે 1લી નવેમ્બરથી વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે, 7 દિવસથી 45 દિવસની એફડી પર હવે 5.5ની જગ્યાએ 5.25 ટકા વ્યાજ મળશે જ્યારે વરિષ્ઠ નાગરિકોને આ જ ગાળા માટે 6 ટકાની જગ્યાએ 5.75 ટકા વ્યાજ મળશે.