SBIએ વ્યાજ દરમાં 0.10%નો ઘટાડો કર્યો, 75 લાખથી વધારે લોન લેનારને થશે ફાયદો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jun 2017 07:58 AM (IST)
1
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક એસબીઆઈએ પોતાની મોટી હોમલોનના ગ્રાહકોને રાહત આપી છે. બેંકે આરબીઆઈની દ્વિમામીસ નાણાં નીતિની જાહેરાત બાદ 75 લાખ રૂપિયાથી વધારેની હોમલોનના વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 15 જૂન 2017થી લાગુ થશે.
2
મહિલા કર્મચારીઓ માટે સંશોધિત નવા વ્યાજ દર 8.55 ટકા વાર્ષિક હશે. અન્ય લોકો માટે વ્યાજ દર 8.60 ટકા હશે. આરબીઆઈએ પોતાની હાલની નાણાં નીતિમાં હોમલોન પર જોખમ રિસ્ક વેઈટેજ 75 ટકાથી ઘટાડીને 50 ટકા કર્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, કેન્દ્રીય બેંકના આ નિર્ણયથી હોમલોન ગ્રાહકોને ટૂંકમાં સસ્તામાં હોમ લોન મળશે.