આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવ્યાં હોય તેવાં મોબાઈલ સિમ કાર્ડ ક્યારથી બંધ થઈ થઈ જશે ? જાણો મહત્વની વિગત
નવી દિલ્હીઃ જો હજુ સુધી તમે તમારા સિમ કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવ્યું નથી તો જલદી કરાવી દેજો નહી તો તમારું કાર્ડ બંધ થઇ જશે. કેન્દ્ર સરકારે સિમ કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની લિમિટ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તમામ સિમ કાર્ડને આધાર સાથે લિન્ક કરવા જરૂરી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ફેબ્રુઆરી 2018 સુધી જે સિમ કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં નહી આવે તો તેને ડિએકટીવેટ કરી નાખવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએનજીઓ લોકનીતિની અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર અને ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાને એ નિર્દેશ આપવામાં આવે કે મોબાઈલ સિમ યુઝર્સની ઓળખ, એડ્રેસ અને તમામ ડિટેલ ઉપલબ્ધ થાય. કોઈ પણ મોબાઈલ સીમ વગર વેરીફીકેશને આપવામાં ન આવે.
જોકે, સરકારે આ મામલે સોગંદનામું દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. કેન્દ્ર સરકારે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યા હતા કે તમામ મોબાઇલ નંબરોને આધાર સાથે જોડી દેવામાં આવે.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2017માં આ આદેશ લોકનીતિ ફાઉન્ડેશન એનજીઓ દ્ધારા દાખલ કરવામાં આવેલી એક જાહેરહિતની અરજી પર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ત્યારે તે વખતના ચીફ જસ્ટિસ જે એસ ખેહરને જણાવ્યું હતું કે મોબાઈલ સીમ કાર્ડ રાખનારની ઓળખ ન થાય તો છેતરપિંડીથી રૂપિયા નીકાળવાના કામમાં તેનો ઉપયોગ થઈ શકે છે. કોર્ટે કહ્યું કે મોબાઇલ વપરાશકારોની સંખ્યામાં કરોડોમાં છે ત્યારે તેમનું વેરિફિકેશનનું કામ એક વર્ષમાં કરી દેવામાં આવે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તેઓ એક વર્ષની અંદર તમામ મોબાઇલ ટેલિફોન વપરાશકારોની ઓળખ કરી દે. કોર્ટે આદેશ આપ્યો હતો કે વેરિફીકેશન માટે યુઝર્સના સિમ કાર્ડને આધાર સાથે લિન્ક કરવામાં આવે.
એક ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકારે એક નોટિસ જાહેર કરી છે કે તમામ સિમ કાર્ડને ફેબ્રુઆરી 2018 સુધીમાં આધાર કાર્ડ સાથે લિંક કરવા જરૂરી છે નહીં તો તે આધાર કાર્ડ લિંક ન કર્યા હોય એવા તમામ સિમ કાર્ડને ડિએક્ટીવેટ કરી દેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -