ખાતામાં 2.5 લાખથી ઓછા જમા કરાવ્યા તો કોઈ પૂછપરછ નહીં થાય, IT વિભાગની સ્પષ્ટતા
આવતા નાણાકીય વર્ષથી ખાસ પરિસ્થિતિમાં ટેક્સ રીફંડ રોકાશે. જેમકે કોઈને દેશમાંથી ભાગી જવાની આશંકા હોય. કેસને સ્ક્રૂટીની માટે પસંદ કરાયો હોય તેવા એકમાત્ર કારણથી રિફંડ નહીં રોકાય. રિફંડ રોકવા કમિશનરી મંજૂરી લેવી પડશે. બજેટમાં જોગવાઈ છે કે જો આકારણી અધિકારીને રિફંડથી રેવન્યુ રિકવરી પર અસર પડશે તેમ લાગતુ હોય તો તેને રોકી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નોટબંધી બાદ બેંકોમાં જમા કરવામાં આવેલ કાળા નામાં તપાસને લઈને સ્થિતિ સ્પષ્ટ કરતા આવકવેરા વિભાગે કહ્યું છે કે, 2.5 લાખ રૂપિયા સુધીની જમા રકમ અંગે કોઈ સવાલ કરવામાં નહીં આવે. માત્ર એવા ખાતાની જ તપાસ કરવામાં આવશે જેની વિગતો રિટર્ન સાથે મેળ ન ખાતી હોય.
કેન્દ્રીય ડાયરેક્ટ ટેક્સ બોર્ડ(સીબીડીટી)ના ચેરમેન સુનિલ ચંદ્રએ સોમવારે ઉદ્યોગ ચેમ્બર સીઆઈસીના એક સેમિનારમાં વાત જણાવી હતી. આવકવેરા વિભાગ સીબીડીટીને આધિન કામ કરે છે. ચંદ્રાએ કહ્યું કે, નોટબંધી પછી જમા થયેલી રકમનું અમે વિશ્લેષણ કરી રહ્યા છીએ.
તેને 2 લાખથી 80 લાખ રૂપિયા અને 80 લાખથી વધુ એમ બે હિસ્સામાં વહેંચાયું છે. વડાપ્રધાને કહ્યું છે કે ખાતામાં 2.5 લાખ રૂપિયાથી ઓછા જમા થયા હોય તો તેની તપાસ કરવી માટે હાલમાં આવા લોકોને અમે પૂછપરછથી બાકાત રાખ્યા છે.
બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સની જોગવાઈ છે તેનાથી મુક્તિની યાદી જાહેર કરવામાં આવશે. ચંદ્રાએ કહ્યું કે સ્ટાર્ટઅપમાં વાસ્તવિક રોકાણ કરનારા કે વિદેશી રોકાણકારોને ગભરાવાની જરૂરી નથી. નિયમ માત્ર બોગસ કંપનીઓના સહારે બ્લેકમનીને વ્હાઈટ કરનારા પર લાગુ પડશે. ગત વર્ષે બોગસ કંપનીઓ દ્વારા 80,000 કરોડ સફેદ કરાયા હતા.
જે કંપનીઓનું ટર્નઓવર 2015 16માં 50 કરોડ રૂપિયાથી ઓછું હશે તો તેમણે 1 એપ્રિલ 2017થી 25 ટકાના દરે કોર્પોરેશન ટેક્સ આપવાનો રહેશે ભલે 2016 17 કે તે પછી તેમની રેવન્યુ વધારે હોય. ચંદ્રાએ કહ્યું કે અંગે ટૂંક સમયમાં સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવશે. હાલમાં કોર્પોરેશન ટેક્સનો દર 30 ટકા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -