આ મંદિરે 2780 કિલો સોનું સરકારની પાસે કરાવ્યું જમા, લોંગ ટર્મ ડિપોઝિટ સ્કીમમાં કર્યું રોકાણ
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન મંદિરે 12 વર્ષ માટે આ રોકાણ કર્યું છે, મંદિરના ટ્રસ્ટે ફેબ્રુઆરીમાં 2075 કિલો સોનું શોર્ટ ટર્મ ડિપોઝિટ સ્કીમથી લોંગ ટર્મ ડિપોઝિટ સ્કીમમાં ફેરવ્યું હતું જ્યારે 705 કિલો સોનું ટ્રસ્ટે મેમાં મુંબઈ મિંટને સોંપ્યું હતું અને તેને પણ લોંગ ટર્મ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત રોકાણ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારેદેશમાં સોનાની જરૂરત માટે આયાત પર રાખવો પડતો આધાર ઘટાડવા માટે ગોલ્ડ મોનેટાઈઝેસન સ્કીમની શરૂઆત કરી હતી તે અંતર્ગત ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ પણ શરૂ થઈ છે, આ સ્કીમ અંતર્ગત લાંબા ગાળા માટે ડિપોઝિટ કરવામાં આવેલ સોના પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની શરૂઆત 2015માં થઈ હતી અને અત્યાર સુધી આ સ્કીમ અંતર્ગત અંદાજે 7000-8000 કિલો સોનાનું રોકાણ થયું છે. સ્કીમનો ઉદ્દેશ ઘરમાં પડેલ સોનું બહાર કાઢવાનો અને સોનાની આયાત ઘટાડવાનો છે.
સોનાના હાલના ભાવ અનુસાર તિરૂપતિ તરફતી ડિપોઝિટ કુલ સોનાની કિંમત અંદાજે 834 કરોડ રૂપિયા થવા જાય છે. સરકારે જે ગોલ્ડ ડિપોઝિટ સ્કીમને શરૂ કરી છે તે અંતર્ગત દેશના સૌથી ધનાઢ્ય ગણાતા તિરુપતી ટ્રસ્ટે ખૂબ મોટું રોકાણ કર્યું છે.
મુંબઈઃ સરકારની ગોલ્ડ ડિપોઝિટ સ્કીમમાં દેશના સૌથી ધનાઢ્ય ગણાતા મંદિરે ખૂબ મોટું રોકાણ કર્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાન મંદિરે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત 2780 કિલો સોનું જમા કરાવ્યું છે. મંદિરના ટ્રસ્ટે એક પ્રેસ રિલીઝ જારી કરીને ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ અંતર્ગત એસબીઆઈમાં જમા કરાવવામાં આવેલ સોનાની જાણકારી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -