તમને ખબર છે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ખરીદી કરો ત્યારે આ ટેક્સ તમારી પાસેથી વસૂલી લેવાય છે?

અમદાવાદઃ હાલમાં જ પેટ્રોલ પંપ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ ન સ્વીકારવાનો વિવાદ સામે આવ્યો હતો જેમાં પેટ્રોલ પંપ એસોસિએસન દ્વારા પેટ્રોલ પંપ ડેબીટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો જેને બાદમાં મોફૂક રાખવામાં આવ્યો હતો.
બેન્કો દ્વારા પેટ્રોલ પંપ ડીલરો પાસેથી મર્ચન્ટ ડીસ્કાઉન્ટ રેટ (એમડીઆર) મુજબ ચાર્જ વસુલ કરવાની જાહેરાત કરી હતી. જેના જેના પગલે પેટ્રોલ પંપ ધારકોએ કાર્ડથી પેમેન્ટ ન સ્વીકરવાનો નિર્ણય કર્યો હતો અને કાર્ડ ધારકો દ્રારા થતા કેશલેસ વ્યવહારોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર વિવાદ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને લઈને ઉભો થયો છે. આવો જાણીએ શું છે આ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ અને તેની સામાન્ય લોકો પર શું અસર પડે છે.
ભારતમાં ક્રેટિડ અને ડેબિટ કાર્ડથી કરાતી બીજી ખરીદી પર મહત્તમ એક ટકા લગી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લગાવાય છે. આપણે બેંકનાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાપરીને ચૂકવણી કરીએ તેના કારણે માલ વેચનારને તરત નાણાં મળી જતાં હોય છે.
આ સેવા આપવાના બદલામાં બેંકો જે ચાર્જ માલ વેચનાર પાસેથી લે છે તેને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) કહે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પરિપત્ર પ્રમાણે બેંકોનાં પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીન્સ વાપરનાર પાસેથી બેંકો 2000 રૂપિયા સુધીની ખરીદી પર 0.75 1 ટકા એમડીઆર) વસૂલી શકે છે.
બીજી તરફ રૂપિયા 2000 રૂપિયાથી વધારેની ખરીદી પર 1 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) વસૂલી શકે છે. આ વ્યવસ્થા છેક સપ્ટેમ્બર 2012થી અમલી છે અને ડેબિટ-ક્રેડિટ કાર્ડથી થતી દરેક ખરીદી પર માલ વેચનાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચૂકવે જ છે.
આ ચાર્જ સીધેસીધો માલ વેચનાર પાસેથી લેવાય છે પણ સરવાળે તેનો ભાર લોકો પર જ આવે છે. તેનું કારણ એ કે માલ વેચનાર માલની કિંમતમાં એ બધા ટેક્સ ચડાવી જ દેતો હોય છે તેથી બધો ભાર ગ્રાહક પર આવતો હોય છે પણ એટલું આશ્વાસન લઈ શકાય કે આપણે સીધો એ ચાર્જ નથી ચૂકવવો પડતો.