સુરતઃ સુરતના પાંડેસરાના પ્રેમનગરમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી દિનેશ બૈસાને દોષિત ઠેરવ્યો હતો.  સજા અંગે કોર્ટમાં 16 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતના વડોદમાં અઢી વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યાના કેસમાં આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા આપવામાં આવી હતી.


નોંધનીય છે કે પાંડેસરાના કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ 20 પાનાની લેખિત દલીલ રજૂ કરી હતી. ડીએનએ રિપોર્ટમા બળાત્કારનો ખુલાસો થયો છે. બાળકી મિસિંગની ફરિયાદ દાખલ કરાઇ હતી. બાદમાં પોલીસ તપાસમાં વડાંપાઉંની દુકાનેથી એક યુવક બાળકીને લઇને જઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. દુકાનના સીસીટીવીમાં આરોપી કેદ થયો હતો. આરોપી બાળકીને વડાંપાઉં ખવડાવવાની લાલચે અવાવરું જગ્યાએ લઇ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજારી માથામાં ઇંટ મારીને હત્યા કરી નાંખી હતી.


 


જામનગરમાં નોંધાયા વધુ બે ઓમિક્રોન કેસ


ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરીયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં જામનગરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણનો પહેલો  કેસ નોંધાયો હતો. . હવે જામનગરમાં વધુ બે ઓમીક્રોન પોઝિટીવ દર્દીઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ ત્રણ કેસ નોંધાયા છે. આ ત્રણેય કેસ જામનગરમાં છે.


સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે જામનગરમાં બહારથી આવેલા જે વૃદ્ધ દર્દીનો અગાઉ ઓમીક્રોન વેરીયેન્ટ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના  સંપર્કમાં આવેલા બે વ્યક્તિના સેમ્પવ લેવાયા હતા અને પૂણે ખાતે મોકલવામાં આવ્યા હતા.  ગાંધીનગરથી સેમ્પલ ચકાસણીમાં ઓમીક્રોન વેરીયન્ટ હોવાનું બહાર આવ્યું છે. જામનગરનવા નાયબ મ્યુ કમિશ્નર એ કે વસ્તાનીએ આ જાહેરાત કરી છે.


Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ મેટ્રો બ્રાન્ડ્સનો IPO આજથી ખુલશે, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ


Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે


SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે


રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ