Delhi : દક્ષિણ પૂર્વ દિલ્હીના જૈતપુર વિસ્તારમાં એક મહિલાની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. સુસાઈડ નોટમાં મહિલાએ આત્મહત્યાનું કારણ તેના લિવ-ઈન પાર્ટનરને જણાવ્યું છે. સુસાઈડ નોટમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે 8 વર્ષ સુધી સતત બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના લિવ-ઈન પાર્ટનરે 14 વખત તેનો ગર્ભપાત કરાવ્યો હતો. મહિલાએ 5 જુલાઈએ આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરોની ટીમને એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના લિવઈન પાર્ટનરે 14 વાર ગર્ભપાત કરાવ્યા છે.


પોસ્ટમોર્ટમ દરમિયાન સુસાઈડ નોટ મળી
5 જુલાઈના રોજ પોલીસને દિલ્હીના જૈતપુર વિસ્તારમાં એક મહિલાની આત્મહત્યાના સમાચાર મળ્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી ન હતી. શરૂઆતમાં પોલીસ તેને આત્મહત્યા માની રહી હતી, પરંતુ જ્યારે 7 જુલાઈના રોજ મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ડૉક્ટરોની ટીમને એક સુસાઈડ નોટ મળી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.


કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો?
સુસાઇડ નોટ મળ્યા બાદ દિલ્હી પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી અને બળાત્કારની કલમો હેઠળ તેના લિવઈન પાર્ટનર સામે કેસ નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની ઉંમર 33 વર્ષની હતી. મહિલા પરિણીત હતી અને તે લગભગ 9 વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી. મહિલાના બે બાળકો હોસ્ટેલમાં રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નોઈડાની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર છે.