અમદાવાદ: શહેરમાં લોહીના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને કોઈ પણ પથ્થર દિલવાળા વ્યક્તિની આંખમાં પણ આંસુ આવી જાય.  આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો 9 વર્ષની દીકરીને સગા બાપે ડામ દઇ માર મારતા ચકચાર મચી છે. રોટલી શેકવાના ચીપિયાથી પિતાએ બાળકીને ડામ આપ્યા છે. અમદાવાદના ચાંદલોડિયાના રબારી જીતુભાઈ ગફૂરભાઈએ ડામ આપ્યા હોવાની વાત સામે આવી છે.


આ ઘટના બાદ કડીના બલાસર ગામે રહેતા બાળકીના મામાએ ફરિયાદ નોંધાવી છે. હાલામં ગાંધીનગર સિવિલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. ફરિયાદી જામાભાઈની બહેનના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ 9 વર્ષીય ભાણી મેશ્વા મામાને ઘરે રહેતી હતી. મેશ્વાને સામાજિક સમજૂતીથી તેના પિતા જીતુભાઈ અમદાવાદ લઇ ગયા હતા. જ્યાં છેલ્લા ત્રણ મહિનાથી પિતા જીતુ રબારી 9 વર્ષીય દીકરી મેશ્વાને ડામ દઇ માર મારતો હોવાની વાત સામે આવી હતી. જેની તેના મામાને જાણ થતા બાળકીને અમદાવાદથી લાવી પહેલા કડી અને ત્યાર બાદ ગાંધીનગરમાં સારવાર માટે ખસેડાઈ છે. હાલમાં બાળકી તબિયત સારી છે અને તેનેકડીના બલાસાર ગામે મામા જામાભાઇ રબારીને ત્યાં હેમખેમ લવાઈ છે. બાળકીના પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરાઇ છે.


ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય ઉતર્યા આમરણ ઉપવાસ પર


બનાસકાંઠા: થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આમરણ ઉપવાસની શરૂઆત કરી છે. થરાદ મામલતદાર કચેરી આગળ સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે રાખી આજથી થરાદ વિધાનસભાના પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ધરણા ઉપર બેઠા છે.


વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં અનેક આંદોલનો હાલ સરકાર સામે જોવા મળી રહ્યા છે ત્યારે આજે થરાદ મતવિસ્તારના પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પણ આમરણ ઉપવાસ ઉપર બેઠા છે. વિવિધ મુદ્દાઓને લઈને આજે ધરણીધર ભગવાનને પત્ર લખી સરકારને સદબુદ્ધિ આપે તેવી માંગ કર્યા બાદ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. 10 જેટલા પડતર પ્રશ્નોને લઈને ગુલાબસિંહ રાજપુતે આમરણ ઉપવાસની શરૂઆત કરી છે..


થરાદ વિધાનસભાના 97 ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશ કરવા બાબત, થરાદ વિધાનસભાના કાચા રસ્તા પાકા બનાવવામાં બાબત, થરાદના નાગલા ડોડગામ અને ખાનપુર ગામોને પૂર્ણવર્સન બાબત, સુજલામ સુફલામ કેનાલમાં બારેમાસ પાણી આપવા બાબત, જમીન રી સર્વે,ગરીબ પરિવારને પ્લોટ અને રહેઠાણ, દલિત સમાજની સ્મશાન ભૂમિ નિમ કરવા બાબત અને થરાદ રેફરલ હોસ્પિટલને આધુનિક બનાવવા બાબત અને ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડની સહાય આપવા બાબતને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ આમરણ ઉપવાસ ઉપર આજથી શરૂઆત કરી છે.


વિવિધ પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે ત્યારે વિવિધ માગોને લઈને દર દિવસે પાંચ ગામોના લોકો દ્વારા સમર્થન પણ કરવામાં આવી રહ્યું છે.  આજે પૂર્વ વિસ્તારના ગામડામાંથી અનેક આગેવનોએ પણ હાજરી આપી છે.


ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવ્યા સમર્થનમાં


થરાદ ધારાસભ્ય ગુલાબ સિહ રાજપૂતના ઉપવાસ આંદોલન સમર્થનમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે. થરાદ ધારાસભ્ય દ્વારા ભગવાનને લખાયેલા પત્ર મામલે ગેનીબેન ઠાકોરએ નિવેદન આપ્યુ છે. જ્યાંરે જયારે અતિરેક થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર આવે છે તેવું નિવેદન ગેનીબેને આપ્યું છે. યદા યદા હી ધરમસ્ય શ્લોલકો ઉલ્લેખ પણ તેમણે કર્યું હતો. જયારે અતિરેક થાય ત્યારે ભગવાન પણ માફ કરતો નથી ત્યારે ભગવાન આ પ્રસાસનનું પુરૂ કરે તેવી પ્રાર્થના કરૂ છું.