Surendranagar: સાયલા તાલુકાના સુદામડા ગામે ખનીજ માફિયા વિરુદ્ધ અરજી કરનાર પરિવારના ઘર પર ચારથી વધુ કારમાં આવી 10થી 15 લોકોએ 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે જેને લઇ પરિવારોમાં ભયનો માહોલ છે.


 



સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ થતી હોય છે ત્યારે તેને લઈ અનેક વખત મારામારી અને હત્યાના બનાવ બને છે. સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ કરવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા  કલેકટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી પરંતુ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.


જો કે, હવે તો હદ થઈ ગઈ આ ખનિજ માફિયાઓએ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:00 કલાકે ત્રણથી ચાર ગાડીઓમાં 15 થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર ઉપર 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે  જેના કારણે  સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.  હાલ આ પરિવાર પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે. જો તેઓની માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મ વિલોપન  કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.  હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા લીમડી DYSP lcd sog સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘરે કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો ઉપર નાકાબંધી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે, આ પરિવારે બે દિવસ પહેલા જ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી. જેની દાજ રાખી ખનીજ માફિયાઓ દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સાયલા તાલુકાના સુદામડાના કંમ્બોચાળા વિસ્તારમાં ગેરકાયદેસર ખોદકામ કરે છે. કાળા પથ્થર કાઢી પોતાની માલિકીના ભડીયા (સ્ટોન)માં કાચા મટીરીયલ તરીકે ઉપયોગ કરે છે. જેથી આ ગેરકાયદેશર ખાણ બંધ કરવા માટે તા ૨૫/૦૯/૨૦૨૪થી  કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. સાયલા તાલુકામાં જે લીઝો ચાલે છે તે ગેરકાયદેસર ચાલે છે. એકપણ નિયમનું પાલન કરવામાં આવતું નથી. ઓનલાઇન રોયલ્ટી કાઢી વેચવામાં આવે તેનો સ્ટોક પણ મેન્ટેન કરવામાં આવતો નથી. આવી રજુઆત બાદ એક વિડ્યો મેસેજ પણ વાયરાલ કર્યો હતો કે અમારી જાનને જોખમ છે.  


સુરેન્દ્રનગર સાયલાના સુદામડા ગામે ફાયરિંગ બાદ પોલીસે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાયલા પોલીસ સ્ટેશનને ચાર શખ્સો અને તેમના મદદગારમાં અન્ય 10 એમ કુલ ૧૪ જેટલા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. આર્મ્સ એક્ટ મુજબ ગેરકાયદેસર હથિયાર રાખી અને ફાયરિંગ જેવી ઘટનાને અંજામ આપવા અંગેની સાયલા પોલીસે ફરિયાદ નોંધ અને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો...


Gondal: 500 કરોડનો વહીવટ ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી,જેલમાંથી ઈલેક્શન લડશે ગણેશ જાડેજા