વકીલને પત્ની પર હતી અનૈતિક સંબંધની શંકા, પછી કર્યું આ કામ
પોલીસના કહેવા મુજબ બંનેના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બંનેના સંબંધ ઠીક નહોતા. પોલીસે અશોક ચક્રવતી સામે હત્યાનો મામલો નોંધ્યો છે. (થમ્બ તસવીરને બાદ કરતાં તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
દીકરો જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે ઘરમાં લોહી-લુહાણ હાલતમાં માતા-પિતાને જોઈને ચીસો પાડવા લાગ્યો. બાળકનો અવાજ સાંભળી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને ઘાયલ અશોકને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રતિભાનું ઘરે જ મોત થઈ ગયું હતું.
જેના કારણે બંને વચ્ચે મારપીટ થતી હતી. ઘણા સમયથી બંને વચ્ચેના સંબંધો પણ યોગ્ય નહોતા. બુધવારે સવારે વકીલ અશોકે તેન 8 વર્ષના દીકરાને કોઈ કામથી બહાર મોકલી દીધો અને તીક્ષ્ણ હથિયારથી પત્ની પ્રતિભાનું ગળું કાપી નાંખ્યું. જે બાદ અશોકે પોતાનું ગળું કાપીને આત્મહત્યા કરવાની કોશિશ કરી.
હત્યાનો આ બનાવ રાયપુરના ટિકરાપારા વિસ્તારમાં બન્યો હતો. અહીં ભગત સિંહ ચોક વિસ્તારમાં રહેતા વકીલ અશોક ચક્રવર્તીને તેની પત્ની પ્રતિભા પર અન્ય વ્યક્તિ સાથએ અનૈતિક સંબંધની શંકા હતા. તે સતત મોબાઇલ પર વાત કરતો જોતો હતો અને શંકા કરતો હતો.
રાયપુરઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક વકીલે જ કાયદો તેના હાથમાં લીધો હતો. તેમણે અનૈતિક સંબંધની શંકામાં પત્નીનું ગળું કાપીને હત્યા કરી દીધી. જે બાદ તેણે ખુદનું ગળું કાપવાની પણ કોશિશ કરી હતી. વકીલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે.