✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોટાદઃ મહિલા સાથેના સંબંધને લઈ મિત્રો વચ્ચે થયો ઝઘડો, પછી શું આવ્યો અંજામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Sep 2018 12:36 PM (IST)
1

બોટાદઃ શહેરના ગઢડા રોડ પર યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે મહિલા સાથેના સંબંધમાં મિત્રો દ્વારા જ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. બુધવારે સાંજે આઇટીઆઇમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા માત્રાબાઈ મોરીની તેના જ બે મિત્રોએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.

2

ઘાયલ થયેલા માત્રાભાઈને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી બન્નેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

3

આ અંગેની વિગતો એવી છે કે, બોટાદના ઢાંકણીયા રોડ પર પર રહેતા અને બોટાદ આઈટીઆઈમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં માત્રાભાઈ ગમારભાઈ મોરી અને તેા જ બે મિત્રો કાનો ઉર્ફે કૃષ્ણપાલ અને ભોલો ઉર્ફે મહેન્દ્ર સાથે મહિલા સાથેના સબંધને લઇ બોલાચાલી થઈ હતી. આ ઝઘડો ઉગ્ર બનતાં કાનો અને ભાલો માત્રાભાઈને છરીના ઘા મારી લોહીલૂહાણ હાલતમાં જ છોડીને ભાગી ગયા હતા.

  • હોમ
  • ક્રાઇમ
  • બોટાદઃ મહિલા સાથેના સંબંધને લઈ મિત્રો વચ્ચે થયો ઝઘડો, પછી શું આવ્યો અંજામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.