મોરબીઃ વાંકાનેર પંથકમાં ખૂદ કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની હતી અને બાળકીને જન્મ આપ્યો હતો. એક વર્ષના સમયગાળા દરમિયાન દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા દવાખાને લઇ ગયા બાદ દુષ્કર્મ થયાની માતા-પિતાને થઇ હતી. દીકરી સાથે દુષ્કર્મ થયું હોવી જાણ થતા માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું. સગીરાએ ગત તા.૨૬ ના રોજ બાળકીને જન્મ આપ્યો છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 



Patan : સાંતલપુરના યુવકને યુવતી સાથે હતા શારીરિક સંબંધ, યુવતીના મંગેતરને પડી ગઈ ખબર ને પછી તો.....


પાટણઃ સાંતલપુરના યુવકની પ્રેમિકાના પ્રેમીએ મિત્ર સાથે મળીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હત્યા પછી હત્યારો પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. જોકે, એક વ્યક્તિ હજુ ફરાર છે. આડેસરના બે યુવકોએ સાંતલપુરના યુવકની હત્યા કરી નાંખી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, સાંતલપુરના 25 વર્ષીય યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. દરમિયાન યુવતીની અન્ય જગ્યાએ સગાઇ થઈ ગઈ હતી. જોકે, યુવતીની સગાઇ પછી પણ બંને પ્રેમસંબંધ ચાલું રાખ્યા હતા. જોકે, આ અંગે યુવતીના મંગેતરને ખબર પડી જતાં તેણે પોતાના મિત્ર સાથે મળીને યુવકનું અપહરણ કર્યું હતું અને પછી તેની હત્યા કરીને લાશરોઝુ પાસેના રણમાં ફેંકી  દિધી હતી. પોલીસે હત્યા કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે હજુ એક ફરાર છે. 


યુવક ગત 25 જૂને સાંજે ફોન આવતા તે ઘરેથી નીકળી ગયો હતો. જોકે, યુવ રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવારે  શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. આથી બીજા દિવસે તેના પરિવારે  સાંતલપુર પોલીસ મથકે ગુમ થવા બાબતે જાણવાજોગ નોંધ કરી હતી. 


બીજી તરફ  યુવકનું અપહરણ કરનાર કચ્છ જિલ્લાના આડેસરના યુવકોએ હત્યા બાદ લાશને રોજુ પાસે અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. હત્યા પછી એક હત્યારાએ આડેસર પોલીસ સ્ટેશન હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. જેની જાણ આડેસર પોલીસ દ્વારા સાંતલપુર પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો.