Amritpal Singh Arrest Operation: પંજાબ પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહ જેની સાથે ભાગી રહ્યો હતો તે પ્લેટિના બાઇક જલંધરથી લગભગ 45 કિમી દૂર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે દારાપુર વિસ્તારમાંથી બાઇક કબજે કરી હતી અને તે દારાપુર વિસ્તારમાં કેનાલના કિનારે પાર્ક કરેલી હાલતમાં મળ્યું હતું.






થોડા દિવસ પહેલા અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઇવરે કર્યું હતું સરેંડર


ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને શોધવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.


18 માર્ચ, પોલીસે અમૃતપાલ સિંહ અને તેના ઘણા સમર્થકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. હવે એવા અહેવાલ છે કે અમૃતપાલના કાકા અને તેના ડ્રાઇવરે શનિવારે મધરાતે પોલીસ સમક્ષ પોતાને રજૂ કર્યા હતા. બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.


ખાલિસ્તાની અમૃતપાલ સિંહની ધરપકડ! વારિસ પંજાબ દેના વકીલનો દાવો - પોલીસ એન્કાઉન્ટર કરી શકે છે


ભાગેડુ ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. વારિસ પંજાબ દેના કાયદાકીય સલાહકાર ઈમાન સિંહ ખારાએ રવિવારે (19 માર્ચ) પંજાબના શાહકોટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ વિશે માહિતી આપી હતી.









'પોલીસ નકલી એન્કાઉન્ટર કરી શકે છે'


એડવોકેટ ઈમાન સિંહ ખારાએ એવો પણ દાવો કર્યો છે કે પંજાબ પોલીસ અમૃતપાલ સિંહનું નકલી એન્કાઉન્ટર કરી શકે છે. ખાલિસ્તાની નેતાના જીવને જોખમને ધ્યાનમાં રાખીને વારિસ પંજાબ દેના વકીલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આ મામલે વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે.