કાલે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, કઈ-કઈ રાશિઓ પર કરશે અસર, જાણો
ચંદ્રગ્રહણ મકર રાશિમાં શ્રવણ નક્ષત્રમાં થશે. મકર રાશિ અને કુંભ રાશિ શનિદેવ શાસિત છે, આ બંને રાશિઓના જાતકોએ માનસિક અને શારીરિક તકલીફથી સાચવવું જોઈએ. કર્ક રાશિના જાતકોને પણ ચંદ્રગ્રહણની અસર લાંબા સમય સુધી અનુભવાય, કર્ક રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને અન્ય વ્યક્તિઓ સાથે મતભેદનો સામનો કરવો પડી શકે.
કુંભ: કુંભ રાશિના જાતકોને કાયદાકીય તકલીફ અથવા વ્યવસાયમાં ટૂંકા ગાળા માટે ચિંતા રહી શકે. ઘરના સભ્યો તમને મદદરૂપ થઇ શકે. ભગવદગીતાનું વાંચન કરવું જોઈએ.
અમદાવાદ: કાલે 7 ઓગસ્ટે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાથી પાળવાનું હોવાનું પંડિતો દ્વારા જણાવાયું છે. શાસ્ત્રો મુજબ, ચંદ્રગ્રહણ પહેલાં સ્નાન કરી શુદ્ધ થવું અને ચંદ્રગ્રહણ છૂટ્યા પછી ફરી પણ સ્નાન કરવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન જાપ કે ઉપાસના કરવાથી ખૂબજ સારૂ ફળ પ્રાપ્ત થાય છે.
ચંદ્રગ્રહણ દરમિયાન જાતકો ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે એ વિશેષ ફળદાયી રહે છે. ચંદ્રગ્રહણમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવાનું ખૂબ મહત્વ છે. ચંદ્રગ્રહણ છૂટ્યાં પછી ઘરમાં મંદિરના વિશેષ શુદ્ધિ અને સફાઈ કરવા. ગર્ભવતી સ્ત્રીઓએ તથા બિમાર વ્યક્તિઓએ સાંજે ૧૬:૫૨થી ગ્રહણનો વેધ પાળી શકાય. ચંદ્રગ્રહણનો સમય, ભૂમંડલે ચંદ્રગ્રહણ સ્પર્શ: 10.52, ભૂમંડલે ચંદ્રગ્રહણ મધ્યકાળ: 11.51, ભૂમંડલે ચંદ્રગ્રહણ મોક્ષ: 12.50
મેષ: મેષ રાશિના જાતકોને નોકરીમાં ઉપરીવર્ગથી લાભ અને કાર્યસબંધી શુભફળ પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યસ્થળની જગ્યાએ ચોખ્ખાઈ વધારવી લાભદાયી છે.
સિંહ: સિંહ રાશિના જાતકોને શત્રુ પર વિજય મળી શકે. કાયદાકીય કાર્યોમાં વિજય થાય. શુભ કાર્ય પહેલા દાન કરવું વિશેષ ફળદાયક.
તુલા: તુલા રાશિના જાતકોને વાહન કે મકાન સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે. મન સ્થિર રાખીને નિર્ણય કરવા જોઈએ. માતાજીની ઉપાસના કે પોતાની માતાના આશીર્વાદ લેવા ફળદાયી.
મિથુન: મિથુન રાશિના જાતકોને નાણાકિય બાબતોમાં વિધ્ન આવી શકે છે. જીવનસાથી સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું. ગ્રહણ છુટતા દાન કરવું લાભદાયી
મકર: મકર રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને શારીરિક વ્યાધિઓથી તકલીફ અનુભવાય. વડીલોની સલાહ સૂચન મુજબ કાર્ય કરવું. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા શુભ ફળદાયી.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને પોતાના કૌશલ્ય અને સાહસનો ફાયદો મળે. વ્યવસાયમાં પ્રગતિ થાય. મસૂરની દાળ કે માટીના પાત્રનું દાન કરવું લાભદાયી.
ધન: ધન રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં વધુ ધ્યાન આપવું પડે, આર્થિક બાબતે મોટો નિર્ણય હોય તો તકેદારી રાખવી પડે. ખર્ચ પર કાબૂ રાખવો. બાધા કે ધાર્મિક સંકલ્પ/કાર્ય જલદી પૂર્ણ કરવા લાભદાયી.
કર્ક: કર્ક રાશિના જાતકોને માનસિક ચિંતાઓ અને અન્ય સાથે મતભેદ થઈ શકે છે. લગ્નજીવનમાં મતભેદ દૂર કરવા. વિષ્ણુસહસ્ત્રનામ વાંચવુ લાભદાયી.
કન્યા: કન્યા રાશિના જાતકોને સંતાન સંબંધી બાબતોમાં વધુ ધ્યાન આપવું જરૂરી. થોડો સમય મન વ્યાકુળ રહી શકે. મોટું વિધ્ન હોય તો, વિદ્યા સંબંધી દાન કરવું. ધાર્મિક પુસ્તકો આપી શકાય.
મીન: મીન રાશિના જાતકોને ઉપચય ભાવે ચંદ્ર રહેતાં નાણાકીય આવકના સ્રોત વધી શકે. મિત્રોને તમે મદદરૂપ થઇ શકો. ગુરુજનોના આશીર્વાદ ફળદાયી રહે.
વૃષભ: વૃષભ રાશિના જાતકોને મંત્રસિધ્ધિ થઈ શકે, ધાર્મિક કાર્ય સબંધી લાભ થાય. મંદિરમાં વિશેષ પૂજા અને દર્શન કરવા જોઈએ. મંદિરની શુધ્ધિ-સફાઈ અચૂક કરવી.