CAT 2023 : IIM લખનઉએ ગુરુવારે CAT 2023નું પરિણામ જાહેર કર્યું હતું. હવે IIM સહિત તમામ મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે. CAT 2023માં 14 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ સ્કોર હાંસલ કર્યો છે. જ્યારે 29એ 99.99 પર્સેન્ટાઈલ સ્કોર મેળવ્યો છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે IIMમાં એડમિશન માટેની સ્પર્ધા કેટલી કપરી હશે. IIM સામાન્ય રીતે 95 પર્સેન્ટાઇલથી ઉપરના સ્કોર સ્વીકારે છે. પરંતુ એવી ઘણી પ્રતિષ્ઠિત કોલેજો છે જે 80-90 પર્સેન્ટાઈલ વચ્ચેના સ્કોર કરનારા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાની તક આપે છે.


આ વર્ષે પરીક્ષા માટે કુલ 3.28 લાખ રજિસ્ટ્રેશન થયા હતા. જેમાંથી 2.88 લાખે પરીક્ષા આપી હતી. મતલબ કે લગભગ 88 ટકા ઉમેદવારોએ CATની પરીક્ષા આપી હતી. જેમાંથી 36 ટકા મહિલાઓ, 64 ટકા પુરુષો અને 5 ટ્રાન્સજેન્ડર ઉમેદવારો હતા.


આ કોલેજો 80-90 પર્સેન્ટાઇલ CAT સ્કોર સ્વીકારે છે


ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, BHU


બનારસ હિન્દુ યુનિવર્સિટી દેશની ટોચની યુનિવર્સિટીઓમાંની એક છે. તેને NIRF રેન્કિંગ 2023 માં તેનું સ્થાન રહ્યુ છે. BHUની ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં પ્રવેશ માટે ક્વોલિફાઇંગ સ્કોર 85 પર્સેન્ટાઇલ છે. એમબીએ કોર્સમાં 59 સીટો છે અને એમબીએ-ઈન્ટરનેશનલ બિઝનેસમાં પણ 59 સીટો છે. અહીં MBA પ્રોગ્રામ માટેની ફી નીચે મુજબ છે.




મોતીલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MNNIT) ઇલાહાબાદ


મોતીલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MNNIT) ઇલાહાબાદ દેશની ટોચની NITs પૈકીની એક છે. તેની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ 80 પર્સેન્ટાઇલ CAT સ્કોર સ્વીકારે છે. અહીં MBAની ફી પ્રથમ સેમેસ્ટરમાં 48,000 રૂપિયા, બીજા, ત્રીજા અને ચોથા સેમેસ્ટરમાં 43,000 રૂપિયા છે.


ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, NIT ત્રિચી


NIT ત્રિચીનો ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ 80 પર્સન્ટાઈલના CAT સ્કોર સાથે પ્રવેશ પ્રક્રિયામાં હાજર રહેવાની તક આપે છે. અહીં MBA પ્રોગ્રામ માટેની ફી નીચે મુજબ છે.




ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc) બેંગલુરુ


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એ દેશની બીજી ટોચની એન્જિનિયરિંગ સંસ્થા છે. તેણે NIRF રેન્કિંગ 2023માં બીજો ક્રમ હાંસલ કર્યો છે. IIScમાંથી MBA પણ કરી શકાય છે. તેનો ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એમબીએમાં પ્રવેશ માટે 90 પર્સેન્ટાઇલ CAT સ્કોર સ્વીકારે છે. અહીં માસ્ટર ઓફ મેનેજમેન્ટ કોર્સની ફી 5.03 લાખ રૂપિયા છે.


IIT ખડગપુર


IIT ખડગપુર દેશની ટોચની એન્જિનિયરિંગ કોલેજોમાંની એક છે. તેનો મેનેજમેન્ટ વિભાગ એમબીએમાં પ્રવેશ માટે 90 પર્સેન્ટાઈલ સ્કોર સ્વીકારે છે. MBA ફી જાણવા અહીં ક્લિક કરો.


Education Loan Information:

Calculate Education Loan EMI