નવી દિલ્હીઃ આવતીકાલે જાહેર થનારા લોકસભા ચૂંટણી પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતનો ભરોસો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે સાંજે એનડીએ નેતાઓની ડિનર પહેલા થયેલી બેઠકમાં મોદીના ચહેરા પર જીતનો આત્મવિશ્વાસ છલકાતો હતો. બેઠકમાં મોદીએ મંત્રીઓને કહ્યું કે, લોકોના અપાર જનસમર્થનથી હવે આપણી જવાબદારી વધી ગઇ છે.


પીએમ મોદીએ  કહ્યું કે, પરિણામ બાદ ફરી એક વખત કેબિનેટ બેઠકની જરૂર પડશે. 25મેના રોજ કેબિનેટ બેઠક બોલાવવામાં આવી શકે છે. આમ મોદી સરકારની આગામી કેબિનેટ બેઠક પરિણામોના બે દિવસ બાદ જ મળી શકે છે.

કેબિનેટ બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાની ઔપચારિકતા પૂરી કરવામાં આવશે. જે બાદ એનડીએના નેતાઓની પસંદગી કરાશે.

અમિત શાહની ડિનર પાર્ટીમાં NDAના 36 પક્ષોની હાજરી, મોદીના સન્માનમાં પાસ કરાયો પ્રસ્તાવ

મતગણતરીની તૈયારીઓ, ગુજરાતમાં કેટલા કેન્દ્રો પર થશે કાઉન્ટીંગ, કેવો છે બંદોબસ્ત?, જુઓ વીડિયો