નવી દિલ્હી: પૂર્વી દિલ્હી સંસદીય ક્ષેત્ર પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશીએ ગૌતમ ગંભીર પર તેમના વિરૂદ્ધ આપત્તિજનક પત્રિકાઓ વહેચવાનો આક્ષેપ લગાવ્યો છે. આતિશી આદે પ્રેસ કોન્ફ્રેરન્સ દરમિયાન રડી પડ્યા હતા. જ્યારે આતીશીના આરોપ બાદ ગૌતમ ગંભીરે સીધી મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલ પર પલટવાર કર્યો છે.


ગૌતમ ગંભીરે કહ્યું કે જો આરોપ સાચા સાબિત થશે તો હું મારી ઉમેદવારી પાછી લઈ લઈશ અને જો તમારા દાવાઓ ખોટાં સાબિત થાય તો શું તમે રાજકારણ છોડી દેશો ?


આ દરમિયાન દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો કે ભાજપ ઉમેદવાર ગૌતમ ગંભીરે આતિશી વિરૂદ્ધ ન્યૂઝ પેપરની સાથે અભદ્ર ટિપ્પણીઓવાળી પત્રિકાઓ વહેંચી છે. તેમાં ભાષા એટલી અપમાનજનક છે કે તેને વાંચનારને પણ શરમ આવશે. તેમણે કહ્યું જ્યારે તેઓ ભારત માટે ક્રિકેટ રમતા હતા ત્યારે રાષ્ટ્રને તેમના પર ગર્વ હતો. પરંતુ આજે તેમણે ઘણું જ હિન્ન કામ કર્યું છે જે શરમજનક છે.


આતીશીએ કહ્યુ કે, “જ્યારે ગંભીર રાજનિતિમાં સામેલ થયા હતા ત્યારે મે તેમને કહ્યું હતું કે સારા લોકો રાજનીતિ માટે મહત્વપૂર્ણ છે. પરંતું તેઓ અને તેમની પાર્ટીને દેખાડી દીધું છે કે એક મહિલાને હરાવવા માટે આટલી નીચલી હદે જઈ શકે છે. હું રાજનીતિમાં પૈસા કે નામ કમાવવા નથી આવી.”