નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ આજે દેશની જનતા સામે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યાલયમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, આ પ્રસંગે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા.


લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને 'જન આવાજ' નામ આપ્યુ છે. હમ નિભાયેંગાના નારા સાથે પાર્ટીએ રોજગાર, ખેડૂતો અને મહિલાઓ પર ફોકસ કર્યુ છે.

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં રોજગારને લઇને ખાસ જાહેરાત કરી છે. અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 22 લાખ ભરતીઓ કરવાની વાત કહી હતી.


2019 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ન્યાય યોજના વિશે મોટી જાહેરાત કરી હતી


કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણ અને સ્વાસ્થ્યને પણ ટૉપ રાખ્યા, બન્ને કેટેગરી માટે ખાસ જાહેરાત કરી હતી