અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. રાહુલ, સોનિયા ગાંધીની સાથે સાથે પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સહિતના કોંગ્રેસના નેતાઓ પણ ગાંધી આશ્રમ આવી પહોંચ્યા હતા. તમામ નેતાઓએ આશ્રમની મુલાકાત લઈને પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ આશ્રમની વિઝિટર્સ બુકમાં સંદેશ પણ લખ્યો હતો.




સોનિયા ગાંધીએ આશ્રમની વિઝિટર્સ બૂકમાં લખ્યું કે, "મારા માટે આ મ્યુઝિયમની મુલાકાત લેવી ખૂબ જ પ્રેરણાદાયી છે. તેમના (મહાત્મા ગાંધી) જીવન અને બલિદાનથી આપણને બધાને પ્રેરણા મળે છે."



ગાંધી આશ્રમની વિઝિટર્સ બૂકમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, "આ ખૂબ જ પ્રેરણાદાયી જગ્યા છે. આપણા નેતાઓના જુવાળને જીવતો રાખવા માટે ખૂબ ખૂબ આભાર. આશ્રમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ."