અરાવકુરિચીઃ કમલ હસનના નેતૃત્વ વાળી મક્કલ નિધિ મૈયમની એક જનસભમાં બે અજાણ્યા વ્યક્તિઓએ મંચ પર કથિત રીત ઇંડા અને પથ્થરો ફેંક્યા, જેના કારણે સભામાં તનાવની સ્થિતિ પેદા થઇ ગઇ હતી. ઇંડા અને પથ્થર ફેંકવાની ઘટનાને લઇને પોલીસે માહિતી આપી હતી. અરાવકુરિચીમાં ઘટનામાં કોઇપણ વ્યક્તિ ઘાયલ નથી થયુ.


ઘટના તે સમયે ઘટી જ્યારે કમલ હસન મંચ પરથી ભાષણ આપીને નીચે ઉતરી રહ્યાં હતા. ઇંડા અને પથ્થર ફેંકાવવાને લઇને પોલીસે કમલ હસનને સુરક્ષામાં લઇ લીધા હતા. તેમને કોઇપણ પ્રકારની ઇજા નથી પહોંચી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કમલ હસને મહત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના સંદર્ભ લેતા તેને હિન્દુને આઝાદી બાદ ભારતનો પહેલો આતંકવાદી ગણાવ્યો હતો. આ નિવેદન બાદ તે વિવાદોમાં ઘેરાયા હતા.