નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મોહમ્મદ મોહસિન નામના આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. મોહસિને મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલાની તલાશી લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને તલાશી કરવા દેવામાં આવ્યા ન હતા. કર્ણાટક (1996) બેચના આઈએએસ સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકેની નિમણૂંક થઈ છે.


સસ્પેન્શનના આદેશમાં ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ મોહસિને એસપીજી સુરક્ષા પ્રાપ્ત ગણમાન્ય વ્યક્તિઓ માટે દિશા નિર્દેશોનું યોગ્ય પાલન નથી કર્યું. આ સસ્પેન્શન તાત્કાલીક અસરથી જ લાગુ કરવામાં આવ્યું છે. મોહમ્મદ મોહસિનને હવે પછીના નિર્ણય સુધી સંબલપુરમાં જ રોકાવાનો આદેશ આપ્યો છે.

મોહસિન કર્ણાટક કેડરના આઈએએસ ઓફિસર છે. ભારતીય ચૂંટણી પંચ દરેક સંસદીય વિસ્તારમાં સામાન્ય ઓબ્ઝર્વરની નિમણૂંક કરે છે. જેથી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે. પારદર્શિતા અન સ્થાનીક પ્રશાસનથી અંતર સુનિશ્ચિત કરવા માટે ઓબ્ઝર્વર હંમેશા રાજ્યના બહારના જ અધિકારી હોય છે.