કુમારસ્વામીએ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગેને ઘણા સમય અગાઉ મુખ્યમંત્રી બનાવવા જોઇતા હતા. હું અનુભવું છું કે તેમની સાથે અન્યાય થયો છે અને હું સ્પષ્ટ રીતે કહું છું કે, ખડગેએ જેટલું કર્યું છે તેટલી ઓળખ તેમને મળી નથી.
સિદ્ધારમૈયાએ પોતાને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની સમર્થકોની માંગને સ્નેહ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, તે આગામી વિધાનસભા ચૂંટણી નહી લડવાના નિવેદન પર કાયમ છે. નોંધનીય છે કે કર્ણાટકની ચિંચોલી વિધાનસભા ક્ષેત્રમાં 19મેના રોજ પેટાચૂંટણી છે અને આ ક્રમમાં કુમારસ્વામી સભા સંબોધવા પહોંચ્યા હતા.