નવી દિલ્હી: ભોપાલથી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની ઉમેદવારીને લઈને ભાજપ મૂંઝવણમાં છે. જેના કારણે વર્તમાન સાંસદ આલોક સંજરે પણ ભોપાલ સીટ પરથી ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.  બાબરી મસ્જિદ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન પર જો સાધ્વી પ્રજ્ઞા પર કાર્યવાહી થાય અને ઉમેદવારી રદ થાય તો આલોક સંજર ઉમેદવાર હશે.


સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે આઈપીસી ધારા 188 હેઠળ આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ દાખલ કરાઈ છે. સાધ્વી પ્રજ્ઞાએ બાબરી મસ્જિદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના પર તેણે સ્પષ્ટતા કરી હતી. પરંતુ ચૂંટણીપંચને સંતોષકારક જવાબ ના લાગતા તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિવાદિત નિવેદન બદલ ચૂંટણી પંચે સોમવારે કેચ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.

લોકસભા ચૂંટણી : રાજ્યની 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ, 63.67 ટકા મતદાન

લોકસભા ચૂંટણી: ત્રીજા તબક્કામાં સરેરાશ 63.24 ટકા મતદાન, ક્યા રાજ્યમાં થયું કેટલુ મતદાન, જાણો

ઉલ્લેખનીય છે કે રામમંદિર નિર્માણ અંગેના સવાલ પર કહ્યું હતું કે “રામમંદિર અમે બનાવીશું અને ભવ્ય મંદિર બનાવીશું. અમે જ (બાબરી મસ્જિદનો) ઢાંચો તોડવા ગયા હતા. મે ઉપર ચઢીને તોડ્યો હતો. મને ઇશ્વરે શક્તિ આપી હતી. અમે દેશના કલંકને મીટાવ્યો છે. ”