પાલનપુરઃ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી દીધી છે. બનાસકાંઠા લોકસભા બેઠકને લઈને લઈને હાલ રાજકીય સમીકરણો બદલાયા છે. બનાસકાંઠા બેઠક પર પૂર્વ મંત્રી શંકર ચૌધરીનું નામ ચાલી રહ્યું છે, ત્યારે ભાજપ શંકર ચૌધરીને ટિકીટ આપે તો કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે.


ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય છે. ગત વિધાનસભામાં શંકર ચૌધરી મંત્રી હોવા છતા તેમણે હરાવ્યા હતા. હવે ભાજપ લોકસભામાં શંકર ચૌધરીને ટિકીટ આપે તો કોંગ્રેસ તેમની સામે ગેનીબેનને ફરીથી ઉતારી શકે છે. નોંધનીય છે કે, ગેનીબેન ઠાકોર સમાજ સહીતનાં સમાજોમાં વર્ચસ્વ ધરાવે છે. સાથે ઠાકોર સમાજ પણ તેમના સમાજને ટિકીટ આપવા માંગ કરી રહ્યો છે. બનાસકાંઠામાં ત્રણ લાખ ઉપરાંત ઠાકોર સમાજનાં મતદારો છે, ત્યારે હવે ભાજપ-કોંગ્રેસ કોને બનાસકાંઠામાં મેદાનમાં ઉતારે છે, તે જોવાનું રહ્યું.
આ પણ વાંચોઃ
લોકસભા ચૂંટણીઃ ટિકિટ માટે બનાસકાંઠા કોંગ્રેસના દાવેદારો પહોંચ્યા દિલ્લી
લોકસભા ચૂંટણીઃ બનાસકાંઠામાં ભાજપની ટીકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આંકડો જાણીને ચોંકી જશો