નવી દિલ્હીઃ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે અમેઠી ઉપરાંત કેરલના વાયનાડથી પણ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડ બેઠક પર 4 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરશે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે.


ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અમેઠીની સિવાય કેરલના વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાને લઈને નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અમેઠીમાં હારના ડરથી કેરલના વાયનાડ ભાગી રહ્યા છે, જેના કારણે મતોનું ધ્રુવિકરણ કરીને જીત મેળવી શકાય. શાહે હિન્દુ આતંકવાદને લઈને પણ કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લીધી હતી.


રાહુલ ગાંધી કેરલની વાયનાડ બેઠક પરથી પણ લડશે ચૂંટણી, અમિત શાહ બોલ્યા- હારના ડરે રાહુલ કેરલ ભાગ્યા

કોંગ્રેસને ગરીબો ચૂંટણી સમયે જ યાદ આવે છે, માત્ર વોટ બેંક માટે જ કર્યો ઉપયોગઃ PM મોદી

કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 'જન આવાજ' નામ સાથે રોજગાર-ખેડૂત અને મહિલાઓ પર કર્યુ ફોકસ

મહેસાણા બેઠક પરથી કોંગ્રેસે કયા પાટીદાર નેતાને આપી ટિકીટ? જુઓ વીડિયો