નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાતે પાંચમું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ભાજપે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં ભાજપે 15 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી 14 ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર સીટ પરથી દેવજી ફતેપરાની ટિકિટ કાપીને તેમના સ્થાને ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે.


દેવજી ફતેપરાએ ટિકિટ કપાયા બાદ શું કહ્યું ?

દેવજી ફતેપરાએ ટિકિટ કપાતા તેઓ નારાજ થયા હતા અને જણાવ્યું કે, જેમને ટિકિટ મળી છે મહેન્દ્ર મુજપરા કોઈ સમાજમાં ગયા નથી. તેમને કોઈ લોકો ઓળખતા નથી. આવતીકાલે મારા સમાજની મીટિંગ બોલાવી છે. સમાજ કહેશે તો પક્ષ છોડવા પણ તૈયાર છું.

ભાજપે પાંચમું લિસ્ટ જાહેર કર્યું, જાણો ગુજરાતમાંથી કોને કોને મળી ટિકિટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા ત્રણેય ધારાસભ્યોને મળી ટિકિટ, જાણો વિગત

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં આ સાંસદો થયા રિપીટ, જુઓ ગ્રાફિક્સ