ગાંધીનગરઃ ભાજપની પરંપરાગત ગણાતી સીટ પર આ વખતે અમિત શાહ ચૂંટણી લડવાના છે, ત્યારે હવે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે એનસીપીના જયંત બોસ્કીએ ગાંધીનગર સીટ પરથી પોતાના ઉમેદવાર ઊભા રાખવાની વાત કરી છે. તેમણે નિવેદન આપ્યું છે કે, ગાંધીનગરથી શંકરસિંહ ચૂંટણી લડી શકે છે.


જોકે, ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે શંકરસિંહે હજુ સુધી સંકેત આપ્યા નથી. ચૂંટણી લડવા માટે બાપુને મનાવી રહ્યા છીએ, તેમ જયંત બોસ્કીએ જણાવ્યું હતું.