ઉલ્લેખનીય છે કે, કુમારસ્વામીએ કહ્યું હતુ કે પીએમ મોદી પોતાના ચહેરો ચમકાવવા માટે મેકઅપ કરાવે છે, અમે માત્ર એકવાર સવારે જ નહાઇએ છીએ અને બીજા દિવસે સવારે ચહેરો ધોઇએ છીએ.
કર્ણાટકના કાગવાડથી બીજેપી ધારાસભ્ય રહી ચૂકેલા ભરમગૌડા ઉર્ફ રાજૂ કાગેએ આના પર કાઉન્ટર એટેક કર્યો હતો, કહ્યું કે, કુમારસ્વામી 100 વાર નહાશે તો પણ કાળા ભેંસ જેવા જ રહેશે. કાગેના આ નિવેદનને લઇને હવે રાજકીય ગરમી વધી ગઇ છે, તેમની આ ટિપ્પણીને નસ્લીય ટિપ્પણી માનવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, કુમારસ્વામીએ કહ્યું હતું કે, પીએમ મોદી દરરોજ સવારે ઉઠીને મેકઅપ કરાવે છે, પછી મીડિયાના કેમેરા સામે આવી જાય છે. એટલે મીડિયા તેમના ચહેરાને વધારે બતાવે છે. જોકે, અમારો ચહેરો સારો નથી એટલે આમ નથી થતુ.