અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 26 બેઠકોમાંથી 25 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જોકે, હજુ સુધી ભાજપે અમદાવાદ પૂર્વ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બેઠક પર ગત ચૂંટણીમાં અભિનેતા પરેશ રાવલ ચૂંટણી જીત્યા હતા. જોકે, આ વખતે તેમને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે.


આ સીટ પર ભાજપ અભિનેતા મનોજ જોશીને ઉતારે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. મનોજ જોશી ઉપરાંત આ બેઠક પર પૂર્વ સાંસદ હરીન પાઠક, અસિત વોરા અને સી.કે. પટેલનું નામ ચાલી રહ્યું છે.



કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પાટીદાર અનામત આંદોલનના નેતા ગીતાબેન પટેલને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે હવે ભાજપ કોને મેદાનમાં ઉતારે છે, તેના પર સૌની નજર રહેલી છે.