નવી દિલ્હી: કૉંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને 'જન આવાજ' નામ આપ્યુ છે. જેને લઈને ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપે રાહુલ ગાંધી પર આક્ષેપ લગાવ્યો છે કે તેમણે ચૂંટણી ઢંઢેરામાં દેશને તોડવાની તાકતોનું સમર્થન કરે તેવા વાયદા કર્યા છે. જેટલીએ કહ્યું કે, “કૉંગ્રેસના ઢંઢેરામાં એવા એજન્ડા છે જે દેશને તોડવાનું કામ કરે છે. આ મેનિફેસ્ટોમાં એવી વાતો છે જે રાષ્ટ્રની એકતા વિરુદ્ધ છે અને દેશને તોડવાનું કામ કરે છે. ”


કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પ્રેસ કૉન્ફ્રેન્સ કરીને કહ્યું કે, “રાહુલ ગાંધી ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે આઈપીસીની સેક્શન 124-A હટાવવામાં આવશે. જેનાથી દેશદ્રોહના ગુનાને ખતમ કરી દેશે. જો પાર્ટી આવી જાહેરાત કરે છે તો તે એક પણ વોટ માટે હકદાર નથી.” તેઓએ કહ્યું કૉંગ્રેસનું આજનું નેતૃત્વ જેહાદીઓ અને માઓવાદીઓના ચંગુલમાં છે.

કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 'જન આવાજ' નામ સાથે રોજગાર-ખેડૂત અને મહિલાઓ પર કર્યુ ફોકસ

કૉંગ્રેસે કર્યો મોટો ધડાકો, સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી કોને બનાવ્યા ઉમેદવાર, જાણો

ભાજપે ગુજરાતની વધુ બે બેઠકના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ

અરુણ જેટલીએ કહ્યું કે, આમાં ઘણી વાતો એવી છે જે ખૂબ જોખમી છે. કોંગ્રેસની ન્યાય યોજના પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમાં કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો કે તેઓ આ યોજના માટે બજેટ ક્યાંથી લાવશે. કૉંગ્રેસની ન્યાય યોજનાની કંઈક અલગ જ વાતો સામે આવી છે.