તમે હંમેશા PM મોદીને ભાષણોમાં જોયા હશે, ત્યારે તેમના ડાબા હાથે પહેરેલી ઘડિયાળ હંમેશા ઊંઘી પહેરેલી હોય છે. તો જાણો પીએમ મોદી પોતાની કલાઈ પર ઊંધી ઘડિયાળ કેમ પહેરે છે. PM મોદીએ જણાવ્યું કે કોઈ મીટિંગમાં સમય જોવાની જરૂરત પડે તો વિરુદ્ધ દિશામાં હોવાથી સરળતાથી જોઈ શકાય છે.
તેમણે કહ્યું કે, કાંડા પર ઘડિયાળ સીધી હોય તો કાંડાને ફેરવીને સમય જોવો પડે છે. જેથી મીટિંગમાં બેઠેલા લોકોને પણ સારૂ ન લાગે. એટલા માટે હું ઘડિયાળને કાંડામાં ઉંધી પહેરૂ છું જેથી મીટિંગ દરમિયાન સમય પણ સરળતાથી જોઈ શકાય અને લોકોને તે જાણ પણ ન થાય.