મેરઠઃ લોકસભા ચૂંટણી પ્રચારમાં નેતાઓ બેફામ નિવેદનો કરી રહ્યા છે. ગુજરાતના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને ભાજપને વોટ નહીં આપો તો જોઈ લેવાની ધમકી આપી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતીય વાયુસેનાને ‘મોદી સેના’ કહીને વિવાદ સર્જયો હતો.


યોગી આદિત્યનાથે મેરઠમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, જો કોંગ્રેસ, એસપી, બીએસપીને ‘અલી’ પર વિશ્વાસ છે તો અમને પણ ‘બજરંગબલી’ પર વિશ્વાસ છે. અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.