એબીપી ન્યૂઝ-સી વૉટરે કરેલા સર્વે પ્રમાણે, યુપીની 80 બેઠકોમાં બીજેપી ગઠબંધન વાળી એનડીએને મોટુ નુકશાન થઇ શકે છે, એનડીએને 29 બેઠકો મળી શકે છે, જ્યારે મહાગઠબંધનને 47 બેઠકો મળી શકે છે. જોકે, રાજ્યમાં યુપીએને ખાસ ફાયદો થતો નથી, તેમને માત્ર 4 બેઠકોથી સંતોષ રાખવો પડી શકે છે.
નોંધનીય છે કે, 16મી લોકસભા 2014ની ચૂંટણી દરમિયાન, ઉત્તરપ્રદેશમાં 80 બેઠકોમાં બીજેપી સૌથી આગળ રહી હતી, અહીં બીજેપીએ સૌથી વધુ 71 બેઠકો કબ્જે કરી હતી. જ્યારે પ્રાદેશિક પક્ષ સમાજવાદી પાર્ટીને 5 અને કોંગ્રેસને 2 બેઠકો મળી શકી હતી. જોકે માયાવતીની પાર્ટી બીએસપી પોતાના હૉમ ગ્રાઉન્ડમાં ખાતુ પણ ન હતુ ખોલીવી શકી.