મિત્રાએ દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ જરૂર પડી તો બેનર્જીએ ભાજપને સમર્થન કરવાનો પોતાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. બહુમતથી દૂર રહેવાની સ્થિતિમાં આગામી સરકાર બનાવવા માટે કોગ્રેસ મમતા બેનર્જી અથવા તૃણમુલ કોગ્રેસ પાસેથી સમર્થન લેશે નહીં.
મિત્રાએ કહ્યું કે, અમને તેમના સમર્થનની જરૂર નથી. અમે યુપીએ સહયોગીઓ સાથે મળીને સરકાર બનાવીશું. યુપીએને સરળતાથી બહુમત મળી જશે. બેનર્જી અનેકવાર દાવાઓ કરે છે કે તેમના સમર્થન વિના કોગ્રેસ સરકાર નહી બનાવી શકે.