આ સુપરસ્ટારે આધ્યાત્મિક ગુરુ ઓશોની બાયોપિક માટે પાડી દીધી ના, જાણો શું છે કારણ...
જણાવી દઈએ કે હાલમાં આમિર ‘ધૂમ 3’ના ડિરેક્ટર વિજયકૃષ્ણા આચાર્યના ડિરેક્શનમાં બની રહેલી પીરિયડ ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં આમિર અને અમિતાભ બચ્ચન પહેલીવાર સાથે જોવા મળશે. ફિલ્મમાં કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.
જણાવી દઈએ કે, એવી પણ અફવાહ હતી કે, આમિર પ્રોડ્યૂસર અને સિંગર ગુલશન કુમારની બાયોપિકમાં કામ કરવાનો છે. આમિરના સ્પૉકપર્સન અનુસાર, અત્યારે તેણે કોઈપણ ફિલ્મ સાઈન કરી નથી અને તેનું સંપૂર્ણ ધ્યાન આગામી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’ પર છે.
આમિરના સ્પોકપર્સને લીડિંગ ડેઈલી સાથે વાત કરતા આ જાણકારી આપી. તેણે કહ્યું કે, આમિર ઘણા બધા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો હોવાની અફવા ઉડી રહી છે. હું એ સુનિશ્ચિત કરવા માગું છું કે, તે અત્યારે ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’નું શૂટિંગ કરી રહ્યો છે અને આ સિવાય કોઈ અન્ય ફિલ્મનો ભાગ નથી.
નવી દિલ્હીઃ એ જાણીતી વાત છે કે આમિર ખાન ફિલ્મોની સ્ક્રિપ્ટ અને તેની પસંદગીને લઈને ખૂબ જ સિલેક્ટીવ છે. હાલમાં જ આમિર ખાનની પાસે મોટી બાયોપિકમાં કામ કરવાની ઓફર આવી હતી જે તેમણે ફગાવી દીધી હતી. ફિલ્મ કપૂર એન્ડ સન્સના ડાયરેક્ટર શકુન બત્રા મહાન આધ્યાત્મિક ગુરુ ઓશોના જીવન પર એક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. ફિલ્મમાં તે આમિર ખાનને કાસ્ટ કરવા માગતા હતા પરંતુ આમિરના નજીકના સૂત્રો દ્વારા જાણકારી મળી કે તે આ ફિલ્મમાં કામ નહીં કરે.