મુંબઈ: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે વિદ્યાર્થીઓ પર બુર્ખામાં આવેલા લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલાની દેશભરમાં નિંદા કરવામાં આવી રહી છે. રાજકીય આગેવાનોથી લઈને બોલીવૂડ સ્ટાર્સ જેએનયૂ હુમલાની નિંદા કરી રહ્યા છે. આ હુમલામાં વિદ્યાર્થી અધ્યક્ષ આઈશી ધોષ ઘાયલ થઈ હતી. આઈશી સહિત 20 વિદ્યાર્થીઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ હુમલાને લઈને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કર્યું છે તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.


ટ્વિંકલ ખન્નાએ લખ્યું, 'ભારત, જ્યાં ગાય ને વિદ્યાર્થીઓ કરતા વધારે સુરક્ષા મળે છે. આ એ દેશ છે જેણે ડરીને જીવવાનો ઈનકાર કરી દીધો છે. તમે હિંસા કરી લોકોને દબાવી ન શકો...અને વધારે વિરોધ થશે, પ્રદર્શન વધારે થશે, રસ્તાઓ પર વધારો લોકો ઉતરશે.'

ટ્વિંકલ ખન્નાના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યૂઝર્શ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત નથી કે ટ્વિંકલ ખન્નાએ બેબાક અંદાજમાં ટ્વિટ કર્યું હોય, ટ્વિંકલ સામાજિક મુદ્દાઓ પર પોતાના મત ટ્વિટર પર શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે જેએનયૂમાં થયેલા હુમલાની દેશભરમાં નિંદા કરવામાં આવી રહી છે.