આદિત્ય પંચોલીના વકીલે સજાની સુનવણીની જાહેરાત કરાતા કોર્ટમાં જામીન માટે અપીલ કરી, જેથી જામીન મળતા જલ્દીથી આદિત્ય બહાર આવી શકે. જામીન માટે આદિત્ય તરફથી 12,000 રૂપિયાની રાશિ પણ જમા કરવામાં આવી છે.
આદિત્ય પંચોલીની વિરૂધ્ધમાં વર્ષ 2005માં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યા હતા કે આદિત્ય પંચોલી દ્વારા કરવામાં આવેલા હુમલામાં તેના નાકમાંથી લોહી નીકળવા સહિત ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. પરંતુ આદિત્યે આ આરોપોનું ખંડન કરતા કહ્યું હતું કે તમામ આરોપો ખોટા છે. આ જાણી જોઈને કરવામાં આવેલા આરોપો છે જેના કારણે ફરિયાદ એક દિવસ બાદ દાખલ કરાઈ હતી.