‘મેં અને ખુશીએ તો માતા ગુમાવી પણ પપ્પાએ તેની ‘જાન’, જ્હાનવી કપૂરે માતા શ્રીદેવીને લખ્યો ભાવુક પત્ર
એક એક્ટર કે એક મા કે એક પત્ની પણ વધીને તે કંઇક હતી. તે દરેક કેરેક્ટરમાં અભિન્ન અને સૌથી સારી હતી. તેના માટે પ્રેમ આપવો અને પ્રેમ લેવો જ મહત્વનો હતો. લોકો માટે તે સારી, શાંત અને દયાળુ હતી. ફ્રસ્ટ્રેશન કે દ્વેષ ક્યારેય તેને ન સ્પર્શી શક્યા.
જ્હાનવીએ લેટલમાં આગળ લખ્યું છે કે, મારી માતાનો સૌથી મોટો હિસ્સો તે પ્રેમ હતો, જે તે પપ્પા સાથે શેર કરતી હતી. તેને પ્રેમ અનમોલ હતો, કારણકે તેના જેવું વિશ્વમાં કોઈ નથી. કોઈ પણ તે બે લોકોની જેમ એક-બીજાને સમર્પિત ન થઈ શકે. મહેરબાની કરીને આદર કરો, કોઈ તેમના પ્રેમને દાગ લગાવવાની કોશિશ કરશે તો એમ વિચારીને પણ તકલીફ થાય છે.
છેલ્લા થોડા દિવસોમાં તમે આપેલા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.
જ્હાનવીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, હું જન્મદિનના મોકા પર માત્ર એક જ ચીજ પૂછવા માંગુ છું કે શું તમે તમારા પેરેન્ટ્સને પ્રેમ કરો છો ? તમે તેને ખુશ રાખો અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરો, જે તમારા માટે કરે છે. હું માની આત્માના શાંતિ માટે પ્રાર્થના કરું છું. તેમે લોકોએ મા પ્રત્યે જે પ્રેમ અને સપોર્ટ દર્શાવ્યો તેને આમ જ જાળવી રાખજો.
તે મારી માતા હતી એટલા માટે જ તેમની પવિત્રતા જાળવી રાખવી જરૂરી નથી પરંતુ જે આદમી તેની આસપાસ ફરતો હતો અને તેમના પ્રેમની નિશાની તરીકે બે બાળકો છે તેના માટે જરીરી છે. મેં અને ખુશીએ તો માત્ર અમારી માતા ગુમાવી છે પરંતુ પપ્પાએ તેની જાનને ગુમાવી દીધી છે.
પત્રમાં તેણે લખ્યું છે કે, મારી માતા સમગ્ર પરિવારની તાકાત હતી અને પરિવારની જવાબદારી બખૂબી નિભાવતી હતી. પત્રમાં જ્હાનવીએ સપોર્ટ કરનારા તમામ લોકોનો આભાર પણ માન્યો છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીને બુધવારે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. શ્રીદેવીના અંતિમ દર્શન માટે બોલીવુડના અનેક દિગ્ગજો આવ્યા હતા. શ્રીદેવીની મોટી દીકરી જ્હાનવી કપૂરે માતા શ્રીદેવીના મોત બાદ પ્રથમ વખત તેની ભાવના વ્યક્ત કરી છે. જ્હાનવીએ એક ભાવુક કરી દેતો પત્ર લખ્યો છે.