નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ લઈ લીધો છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીમાં ઘુસીને વિસ્ફોટ કર્યા છે. પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ 12 મિરાજ વિમાનથી પીઓકેમાં 21 મિનિટ સુધી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા 1,000 કિલો બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતની આ કાર્યવાહીમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે.


આ હુમલા બાદ અજય દેવગન અને અભિષેક બચ્ચન સહિત અનેલ બોલિવૂડ સેલેબ્સે વાયુસેનાના ખૂબ વખાણ કર્યા છે.