ભારતીય સેનાએ ગુજરાત બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું, જાણો વિગત
Advertisement
abpasmita.in Updated at: 26 Feb 2019 12:38 PM (IST)
NEW DELHI, INDIA - OCTOBER 4: National Security Advisor Ajit Doval prior to a meeting between Prime Minister Narendra Modi and Singaporean counterpart Lee Hsien Loong at Hyderabad House on October 4, 2016 in New Delhi, India. (Photo by Ajay Aggarwal/Hindustan Times via Getty Images)
ભુજ: PoKમાં ભારતીય વાયુસેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી જૈશના આતંકી ટ્રેઈનિંગ કેમ્પને નષ્ટ કરાયા હતા. ત્યારે ગુજરાતની કચ્છ સરહદ પાસે ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ભારતીય વિસ્તારમાં જાસૂસી કરવા મોકલાયેલા પાકિસ્તાની ડ્રોને વહેલી સવારે સાડા 6 વાગ્યે તોડી પડાયું હતું. જેને પગલે ઘટનાસ્થળે ગામ લોકો અને સેનાના અધિકારી દોડી ગયા હતા.
આ હુમલા બાદ ગુજરાત સહિતની તમામ બોર્ડર હાઈએલર્ટ કરી દેવામાં આવી છે. કચ્છ અને જામનગરના વાયુસેનાનો તમામ સ્ટાફ શસ્ત્રો સાથે સ્ટેન્ડ ટુમાં છે. અન્ય રાજ્યોની બોર્ડર પર પણ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ આર્મીની ત્રણેય પાંખ તૈયાર રખાય છે.