બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ ગુરૂવારે તે તેમના ઘરેથી બહાર નીકળી. મહાશિવરાત્રીના ખાસ અવસરે તે ફિલ્મ મેકર અયાન મુખર્જી સાથે મુંબઇના જુહુમાં આવેલા મુક્તેશ્વર મહાદેવના મંદિર પહોંચી. ફોટોગ્રાફરે તેમની તસવીર કેમેરામાં કેદ કરી અને તેમને કેટલાક સવાલ પણ કર્યાં હતા. 



આલિયા ભટ્ટે રેડ  સલવાર કુરતાની સાથે મેચિંગ માસ્ક પહેર્યું હતું. જ્યારે અયાન મુખર્જી વ્હાઇટ કૂરતા પાયજામામાં જોવા મળ્યાં. બંનેએ માથા પર તિલક કર્યુ હતું.



ગંગુબાઇ ફિલ્મની સ્ટાર  અને ફિલ્મેકર અયાન મુખર્જી જ્યારે મંદિર પર સ્પોટ થયા તો ફોટોગ્રાફરે આલિયાને પૂછ્યું કે, "મહાદેવ પાસે શું માંગ્યું?


આ સમયે આલિયા ભટ્ટ સવાલનો જવાબ આપ્યા વિના જ કાર તરફ આગળ વધી હતી. જો કે ફોટોગ્રાફરે વારંવાર પૂછતાં આલિયાએ કહ્યું હતું કે, 'મહાદેવ પાસેથી કંઇક માંગ્યું  તો છે પરંતુ જે માગ્યું તે હું કહી નહીં શકું' આ સાંભળીને ફોટોગ્રાફર હસવા લાગ્યો.



આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બહુ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને એકબીજાના ફેમિલી ફંકશનમાં પણ જોવા મળી છે.બંને જાહેરમાં એ વાત કબૂલી ચૂક્યાં છે કે, બંને એકબીજાને પ્રેમ કરે છે. 


થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે કહ્યું હતું કે, કોવિડના કારણે બંનેના લગ્ન મુલતવી રાખવામાં આવ્યાં છે., જેનો મતલબ કે બંને બહુ જલ્દી લગ્ન કરશે. 



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા અને રણબીર કપૂર બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દશન અયાન મુખર્જી કરી રહ્યાં છે. આ પહેલી ફિલ્મમાં છે. જેમાં બંને સાથે જોવા મળશે. 


રણબીર કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા, હાલ તેઓ હોમ કોરોન્ટાઇન છે અને બ્ર્હ્માસ્ત્ર ફિલ્મનું શૂટિંગ પણ રોકી દેવાયું છે.