મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એવું જણાવવામાં આવે છે કે તેમની હાલત ખૂબ જ ખરાબ થઇ હતી જેથી તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયાં છે.
અમિતાભ બચ્ચનની ફિલ્મ 102 નોટઆઉટનું પ્રથમ ટીઝર આજે જ સામે આવ્યું છે. આ ફિલ્મમાં તે ઋષિ કપૂર સાથે 27 વર્ષ પછી જોવા મળશે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હાલ તેઓ આમિર ખાન સાથેની ઠગ્સ ઓફ હિંદુસ્તાંનના શૂટિંગમાં વ્યસ્ત છે.
મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબીયત લથડી છે. અમિતાભ બચ્ચનની તબીયત નાદુરસ્ત થતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનને શું થયું છે અને હાલ કેવી સ્થિતિ છે તે જાણવા મળ્યું નથી પરંતુ પરિવારના સભ્ય પણ હોસ્પિટલમાં જ છે. અમિતાભ બચ્ચનની તબીયત વિશે બચ્ચન પરિવાર તરફથી કોઇ જ નિવેદન સામે આવ્યું નથી.
ગત વર્ષે માર્ચમાં પણ અમિતાભ બચ્ચન બીમાર થયાં હતાં. તે સમયે અમિતાભે હોસ્પિટલમાંથી બહાર આવ્યાં પછી ટ્વિટરથી સ્વસ્થ હોવાની જાણકારી આપી હતી.