ફોલોઅર ઘટવાથી નારાજ હતા અમિતાભ બચ્ચન, મનાવવા આવી Twitter ટીમ
થોડા દિવસો પહેલા અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરતાં લખ્યું કે, ટ્વિટર તમે મારા ફોલોઅર્સ ઘટાડી દીધા છે. જે મજાક લાગી રહી છે. હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધીની સફર માટે ધન્યવાદ.’
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ઘણા લાંબા સમયથી પીએમ મોદી બાદ ભારતના બીજા સૌથી વધારે ફોલો થતા વ્યક્તિ હતા. પરંતુ થોડા સમય પહેલાના આંકડા બાદ હવે અભિનેતા શાહરૂખ ખાન બીજા નંબર પર આવી ગયા છે.
અમિતાબ બચ્ચન નિયમિત તેમના બંગલાની બહાર પ્રશંસકોનું અભિવાદન સ્વીકારે છે.
અમિતાભે જોયું કે ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા અચાનક 3.3 કરોડથી ઘટીને 3.29 કરોડ થઈ ગઈ છે, જેનાથી નારાજ થઈને તેમણે સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની ચેતવણી આપી અન્ય ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આ સમુદ્રમાં અનેક માછલીઓ છે અને તે વધારે રોચક છે.’
ખુદ અમિતાભે આ અંગે જાણકારી આપતા ટ્વિટ કરીને કહ્યું કે, ટ્વિટરની ટીમે ફોલોઅર ઘટાડવાના મુદ્દે મેં કરેલી ટ્વિટને લઇ મારી સાથે મુલાકાત કરી છે. બિગ બીએ ટ્વિટ કર્યું કે, “વિદેશથી આવેલી ટ્વિટરની ટીમે મારી સાથે મુલાકાત કરી અને ટ્વિટર કેવી રીતે કામ કરે છે તે અંગે જણાવ્યું. આભાર.”
મુંબઈઃ સોશિયલ પ્લેટફોર્મ પર બાકી સ્ટાર્સની તુલનામાં સૌથી વધારે એક્ટિવ રહેનારા બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ચાલુ મહિનાની શરૂઆતમાં ટ્વિટર સાથે છેડો ફાડવાનો સંકેત આપ્યો હતો. અમિતાભ બચ્ચને કરેલા ટ્વિટને લઇ આ મુદ્દાને ઉકેલવા ખુદ ટ્વિટરની ટીમે ભારત આવવું પડ્યું.