✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટણ દલિત આત્મવિલોપનનો પડઘો, સરકારે અરજદારને જમીન ખાતે કરવાનો આપ્યો આદેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Feb 2018 05:28 PM (IST)
1

અરજદાર હેમાબેન કાન્તિભાઇ વણકરે સમી મામલતદાર કચેરીમાં દબાણ નિયમિત કરી આપી જમીન વિવાદ ઉકેલવા અરજી કરી હતી, આ અરજી બાદમાં મામલતદારે જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી, જેમાં જમીન કુબેર દલા અને ફકીર ડોસા પાસે હતી.

2

પાટણઃ દલિત આત્મવિલોપનનો પડઘો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. દલિત ભાનુભાઇના આત્મવિલોપનના મોત બાદ અરજદારને પોતાની જમીન ખાતે કરી આપવા રાજ્ય સરકારે આદેશ આપી દીધો છે.

3

અરજદારનું કહેવું હતું કે જમીન મારા ભોગવટાની છે અને સરકારમાં જે પણ રૂપિયા ભરવાના થાય તે ભરવા અમે તૈયાર છીએ પણ જમીન દબાણ વિવાદ હટાવી નામે કરી આપો.

4

સરકારે આદેશ આપ્યો છે આ જમીન સરકારી ચોપડે પડતર છે જેથી રિગ્રાન્ટ કરી જમીન વિવાદ ઉકેલવા કલેક્ટરને પત્ર આપ્યો છે.

5

તો વળી બીજીબાજુ જમીન સરકારી ચોપડે પડતર પડી હોવાથી આ કામ શક્ય ન હતું, જેના કારણે ન્યાય મેળવવા દલિત ભાનુભાઇએ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે આત્મ વિલોપન કર્યું હતું, જેમાં તેમનું મોત થયુ હતું. આ કેસમાં સરકારે અરજદારને જમીન ખાતે કરી આપવા આદેશ કર્યો છે.

6

આ કેસ અગાઉ પ્રાંત અધિકારીના હાથમાં હતો તેમાં જમીનને પડતર ગણવામાં આવી હતી. જોકે, આ જમીન અત્યારે હેમાબેન કાન્તિભાઇ વણકરના ભોગવટામાં છે.

  • હોમ
  • ગુજરાત
  • પાટણ દલિત આત્મવિલોપનનો પડઘો, સરકારે અરજદારને જમીન ખાતે કરવાનો આપ્યો આદેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.