પાટણ દલિત આત્મવિલોપનનો પડઘો, સરકારે અરજદારને જમીન ખાતે કરવાનો આપ્યો આદેશ
અરજદાર હેમાબેન કાન્તિભાઇ વણકરે સમી મામલતદાર કચેરીમાં દબાણ નિયમિત કરી આપી જમીન વિવાદ ઉકેલવા અરજી કરી હતી, આ અરજી બાદમાં મામલતદારે જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી, જેમાં જમીન કુબેર દલા અને ફકીર ડોસા પાસે હતી.
પાટણઃ દલિત આત્મવિલોપનનો પડઘો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. દલિત ભાનુભાઇના આત્મવિલોપનના મોત બાદ અરજદારને પોતાની જમીન ખાતે કરી આપવા રાજ્ય સરકારે આદેશ આપી દીધો છે.
અરજદારનું કહેવું હતું કે જમીન મારા ભોગવટાની છે અને સરકારમાં જે પણ રૂપિયા ભરવાના થાય તે ભરવા અમે તૈયાર છીએ પણ જમીન દબાણ વિવાદ હટાવી નામે કરી આપો.
સરકારે આદેશ આપ્યો છે આ જમીન સરકારી ચોપડે પડતર છે જેથી રિગ્રાન્ટ કરી જમીન વિવાદ ઉકેલવા કલેક્ટરને પત્ર આપ્યો છે.
તો વળી બીજીબાજુ જમીન સરકારી ચોપડે પડતર પડી હોવાથી આ કામ શક્ય ન હતું, જેના કારણે ન્યાય મેળવવા દલિત ભાનુભાઇએ જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે આત્મ વિલોપન કર્યું હતું, જેમાં તેમનું મોત થયુ હતું. આ કેસમાં સરકારે અરજદારને જમીન ખાતે કરી આપવા આદેશ કર્યો છે.
આ કેસ અગાઉ પ્રાંત અધિકારીના હાથમાં હતો તેમાં જમીનને પડતર ગણવામાં આવી હતી. જોકે, આ જમીન અત્યારે હેમાબેન કાન્તિભાઇ વણકરના ભોગવટામાં છે.